________________
૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40
શ્રી જિનેશ્વરદેવે કહેલ આત્મા અને એનું સ્વરૂપ માન્યા પછી, બહારની ચીજો છોડવી જોઈએ એમાં શંકા થાય જ નહિ. કપડું ઊજળું હતું અને તે કાળું થયું, એને સાબુ દઈને ધોળું કરવામાં શંકા ક્યાં થાય છે ? પેટ ફૂલેલું જણાય, ખરાબ ડકાર આવે, તો મનાય છે કે, મળ વધ્યો, ખાવાનું બંધ કરવું પડે, અને એમાં (પેટમાં) રહેલા મળને કાઢવા જુલાબ પણ લેવો પડે છે. ખાવાપીવાની, ઊંઘવાની, જાગવાની એ બધી ચિંતા શા માટે ? એના વિના ન જ ચાલે એ શા માટે ? આત્મા દબાયેલો છે માટે કે સ્વતંત્ર છે માટે ?
533
૫૩૩
તમને કોઈ કહે કે, ‘સમય જોઈને આ (બહારનું) પણ સાચવવું' તો પૂછો કે, એ મારું કે પારકું ? કુદરતી કે ચોરેલું ? એને સાચવવામાં મારું જાય છે કે રહે છે ? જો જૈનશાસન પમાય તો એને ઠગી કોણ જાય ? એ નક્કી થાય કે, બહારની ચીજો આત્માની નથી, આત્માને અનંત સુખના સ્થાને નહિ જવા દેતાં નીચે ઘસડી જાય છે, તો આ વચનોમાં શંકા થાય ?
ચાર મહિના કૂવાના ભારવટિયા ઉપર આહાર-પાણી વિના ઊભા રહેનાર જાગતા કહેવાય કે, જેને દિવસમાં ચાર વાર ખાવા પીવા જોઈએ એ જાગતા કહેવાય ? આત્મગુણ ખાવાનો કે તપ કરવાનો ? મોક્ષમાર્ગ શ્રી જિનેશ્વરદેવે સ્થાપ્યો. શું સ્થાપ્યું ? મોક્ષમાર્ગ. એમાં ત્રણ ચીજ કહી છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, · ચારિત્ર; ચોથી ચીજ છે ? તો પછી આમાં શંકા કેમ ? સમ્યગ્દર્શન શુદ્ધ બનાવી, આત્મસ્વરૂપ જાગ્રત કરાવી, હેય તજાવી, ઉપાદેય ગ્રહણ કરાવી આખી દુનિયાને ઉપર મોકલવા માટે આ તીર્થની સ્થાપના શ્રી જિનેશ્વરદેવોએ કરી છે. કૂતરાનો સ્વભાવ
તમારે અહીં જ રહેવું છે કે મોક્ષે જવું છે ? શંકાનું નિદાન જ અહીં છે. દુનિયાનું સ્વરૂપ જ્ઞાનીએ શા માટે બતાવ્યું ? જ્ઞાની કહે છે કે, સંસાર આટલો વિશાળ છે, જો ઉત્તમ સ્થાનથી ગબડ્યો તો ક્યાં જવાશે એનો પત્તો નહિ લાગે. જમીનની નીચે જગા નથી કે આકાશ પર કંઈ નથી, એમ ન માનતા. એક પણ દિશા ખાલી નથી. તીર્ઝા લોકમાં અસંખ્યાતા દ્વીપસાગર છે, ઉપર સાત રાજલોક છે, નીચે સાત રાજલોક છે, ગબડનારનો પત્તો નહિ લાગે.
લોકસ્વરૂપ બતાવવાનો જ્ઞાનીનો હેતુ પોતાનું જાણપણું બતાવવાનો નથી, પણ લોક ભૂલમાં ન ભમે તે છે. કૂતરાનો સ્વભાવ બતાવતાં જ્ઞાની કહે છે કે, પથ્થરને કરડે, લોહી પોતાનું નીકળે છતાં એ લોહીને પારકું માની, પથ્થરને મીઠો માનીને ચાટે; એવી જ હાલત વિષયાસક્તોની છે. જેટલું જેટલું સુખ તમે