________________
515 – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૧૫
માટે જ કહું છું કે, એમને શાસ્ત્રો પણ માન્ય નથી. એથી જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જ એ લોકો તો કહે છે કે, “આજના સાધુઓ જમાનાની વાત જોતા નથી અને શાસ્ત્રની જ વાતને ચામજૂની જેમ વળગ્યા છે.” સાધુ માટે આજના સાહિત્યનો અભ્યાસ જરૂરી છે?
સભાઃ એ લોકો તો એમ કહે છે કે, સાધુઓ આજનો ઇતિહાસ પણ વાંચતા . નથી !
એ તેઓનું કથન ખોટું છે, કારણ કે, નથી જ જોતા એવું કશું જ નથી ! બાકી એ વાત ખરી છે કે, એ વસ્તુને જે દૃષ્ટિએ તે લોકો જુએ છે, તે દૃષ્ટિએ સાચા સાધુઓ નથી જ જોતા. કારણ કે, જે જાણવાનું છે તે સાધુઓ પાસે પૂર્ણ છે. સાધુઓ દુનિયાની વસ્તુને જાણે તો તે “આ (જૈનધર્મ) વસ્તુ કયા રૂપે તમને સમજાવાય' તે જાણવા માટે જ જાણે, બાકી બીજા કોઈ જ કારણે નહિ ! બાકી સ્વપરના કલ્યાણ માટે જે જે જાણવાની જરૂર છે, તે જાણવા માટે જોઈતું સઘળું જ આજે પણ શ્રી જૈનશાસનમાં છે. - તત્ત્વચિંતા, દુનિયાના હિસાબ, પ્રવૃત્તિ કેવી અને કોણે શું કર્યું, શું કરવું જોઈએ – એ ચારે અનુયોગો અમારી પાસે છે. એક પણ અનુયોગ વિનાનું આ શાસન નથી. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ ચારે છે : બાકી રહ્યું શું ?
, છેલ્લી હદે પાપાત્મા પાપ ક્યાં સુધી કરી શકે એ અને ક્યાં જાય એ તથા છેલ્લી હદે પુણ્યાત્મા પુણ્ય ક્યાં સુધી કરી શકે એ અને મધ્યમ કોટિના આંત્માઓનું પણ વર્ણન, એ બધું કથાનુયોગમાં છે. પાપાત્મા છેલ્લે સાતમી નરકે જાય. ધર્મી સર્વાર્થસિદ્ધ વિમાને કે મોક્ષે જાય. સિવાય પોતપોતાની કરણી અનુસાર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય પણ બને. દેવ, મનુષ્ય, નારકી અથવા તીર્થંચ પણ બને એ બધું આ અનુયોગમાં છે, દેવ, મનુષ્ય, નારકી અને તીર્થંચ કેટલા? દ્વીપ, સાગર, સરિતા વગેરે કેટલું કેટલું એ બધું આ દર્શનના ગણિતાનુયોગમાં છે, વિશ્વમાં જીવાદિ દ્રવ્યો કેટલાં છે, તેનું સ્વરૂપ આદિ કેવું છે તે દ્રવ્યાનુયોગમાં છે અને કેવું જીવન જીવવાથી મુક્તિ થાય, એ ચરણકરણાનુયોગમાં આવે છે. કહો, હવે અમારે જોઈએ શું ? આજનું સાહિત્ય ?
હવે આજના સાહિત્યની વાત કરીએ. આજની નૉવેલોમાં શું હોય છે ? યુવક અને યુવતી, એ બેને પહેલાં ભેળાં કરે, પછી વિખૂટાં પાડે. ખૂબ રોવરાવે