________________
487 ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 - ૪૮૭ રાગડામાં મરનારની ગતિનો એક પણ શબ્દ આવે છે? એ આવા હતા, એમણે આવું કર્યું, હવે એમના વિના અમારું શું થશે ?' એમ રોવાય છે ને ! એ જ રીતે સંયમની પાછળ પણ ઘોંઘાટ એ જ માટે છે કે, “તમારા વિના અમારું શું ?' પણ સંયમ લેનારને પણ એ કહેવાની છૂટ છે કે, તમારી સાથે પડીને મારું પણ શું થાય ?' પણ એ કથનની સામે તો પેલા પાગલો કહે છે કે, “બૂમ નહિ કરાય !” આ છે આજના સ્વતંત્રવાદીઓ ! વિચારો કે, ઘરના કુટુંબી માટે ચોરી કરનારને જેમ બેડી પડે, તેમ એમને માટે પાપ કરનારને પણ દુર્ગતિ ન મળે ? પણ આ બધું જેઓને વિચારવું નથી, તેવા સુધરેલાઓની વાતમાં કશું જ વજૂદ નથી. એમના કાગળિયાના ઠરાવ પાછળ કશું જ જોર નથી. એથી જ તેઓ આડાઅવળાં પ્રપંચો કરે છે.
વધુમાં એ પ્રપંચીઓ એવા ઉઠાવગીર છે કે, ધર્મની નિંદા પોતે કરે, કરાવે અને પાછા સ્ટેજ પર આંખમાં આંસુ લાવીને બોલે કે, “સમાજમાં કાળો કેર વર્તાય છે. આથી બધાને લાગે છે કે, “શા લાગણીના ધોધ વહે છે !” આથી જ કહું છું કે, એવાઓને તો ત્યાં ભરસભામાં જ એમના સ્વરૂપમાં ઓળખાવવા જોઈએ ! “ દુર્જનોની મધુરતામાં વિષની કાતિલતા :
' સ્ટેજ પર ઊભા રહીને એવાઓ ટેબલ પર હાથ પછાડે, આંખો લાલ કરે અને પરમ શાંતિની વાત કરે. બધાને લાગે છે કે, આ તો પરમ શાંતિની મૂર્તિ ! પણ દીવાસળી ચાંપીને હેઠળ સળગાવનાર પરમ ઉપકારી (?) પણ એ જ હોય ! આથી જ તમારે બોલતાં શીખવું પડશે ! એ નાટકિયાઓને ઉઘાડા પાડવા એમની સામે એમના જેવા સ્વાંગ રચી તમારે લડવું પડશે ! એ નાટકિયાસુધરેલા નાટકિયા તો પગારદાર છે, પગાર લઈને સ્ટેજ પર તથા છાપાની કૉલમોમાં નાટક ભજવી જાય છે. એ તો પૈસાની લાલસામાં ફસેલા છે, અર્થકામ અને વિષય-કષાયમાં જ રાચેલા-માયેલા છે; એમની સામે તમારે સાચો વેષ ભજવવો પડશે. બીજાને બચાવવા સાચો વેષ તો ભજવવો જ પડે !
મારો સાધુવેષ અને તમારો શ્રાવકવેષ. એમાં વાંધો શો ? આપણે કાંઈ એવા નાટકિયા નથી, પણ એ કચરો ઉડાડે ત્યાં સાવરણી ફેરવવી પડે ને ! એમ કર્યા વિના કેમ જ ચાલે ? પણ એ બોલતાં આવડે તો ને ! સ્ટેજ પર આવા નાટકિયાના પહેલાં તો તમે એની બોલવાની છટાના ગુણ ગાઓ. “શી લાગણી ?' એમ કહો, અને જરા પણ આવેશમાં આવ્યા વિના તમારા એ