________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
અસંબદ્ધપણું હોય ત્યાં એ બને, પણ એવું અસંબદ્ધતાવાળું તો અજ્ઞાની જ બોલે, પણ સંપૂર્ણ જ્ઞાનીઓ કે સંપૂર્ણ જ્ઞાનીના અનુયાયીઓ તો એવું ન જ બોલે; આથી જ એવા જ્ઞાનીઓની વાતો તો આજુબાજુનાં વાક્યોનો સંબંધ રાખવાથી જ સમજાય, કારણ કે, જ્ઞાનીઓ જે બોલે તે વસ્તુસ્વરૂપને અનુલક્ષીને જ બોલે : આથી સ્પષ્ટ છે કે, જ્ઞાનીઓએ ફરમાવેલ નવે તત્ત્વ પૈકીનું એક તત્ત્વ ન માને, તે તો સુશ્રદ્ધાના ભાજન ન જ થાય.
૪૭૭
476
નવ તત્ત્વમાંના આઠ તત્ત્વો રૂચે અને એક ન રૂચે, તો પણ શાસ્ત્ર કહે છે કે, વાસ્તવિક રીતે એને એક પણ નથી રૂચ્યું, માટે એ સમ્યગ્દષ્ટિ નથી. પણ મિથ્યાદ્દષ્ટિ જ છે; આથી એ સ્પષ્ટ જ છે કે, કોઈ એમ કહે કે,‘કંદમૂળમાં અનંતા . જીવ માનું’ પણ ‘પાણીમાં અસંખ્યાતા જીવો ન માનું' તો એ શ્રી જૈનશાસનમાં ન જ ચાલે; એ જ કારણે ઉપકા૨ીઓ ફરમાવે છે કે, પ્રભુશાસનને આરાધવાની ઇચ્છાવાળા આત્માએ, શ્રી જિનેશ્વરદેવના શાસનના એકેએક અક્ષરને હૃદયપૂર્વક સ્વીકારવો જોઈએ; અન્યથા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શક્ય જ નથી, પણ મિથ્યાત્વની પ્રાપ્તિ જ શકય છે; એ જ કારણે ઉ૫કા૨ીઓએ ફરમાવ્યું કે, સૂત્રના એક પણ અક્ષરને જે ન માને તે મિથ્યાદ્દષ્ટિ છે, કેમ કે, એમાં એક પણ અક્ષર એવો નથી કે જે અરુચિ ક૨વા યોગ્ય હોય.
સભા સૂત્ર કયાં ?
પિસ્તાળીસે આગમ, પંચાંગી સાથે. પંચાંગીમાંનાં ચાર એ મૂળનો જ વિસ્તાર છે. આથી ‘માત્ર મૂળ જ માનું પણ બીજું ન માનું' - એમ કહેનારને એની છાયામાં પણ બેસવાનો કે એનાં ફળ ખાવાનો અને એની ઠંડક લેવાનો પણ અધિકાર નથી. એ તો અંદર મૂળમાં ભલે જાય, બાકી છાયા, ડાળાં, પાંખડાં વગેરે અને ફળ માટે તો એ અનધિકારી જ છે. મૂળમાં ફળ છે પણ મૂળ મોંમાં મૂકે તો કંઈ ઓછું જ ફળ મોંમાં આવે ? મૂળમાં જ બધું માનીને ખેડૂત બેસી રહે, અગર કોઠી કે ખિસ્સામાં મૂળ રાખી મૂકે, તો પાક થાય અને ફળ મળે ? નહિ જ, એથી જ એકલા મૂળને જ માનનારને વૃક્ષની છાયા ભોગવવાનો તથા ફળને પામવાનો અધિકાર નથી. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને ટીકા વગેરે પણ કંઈ બહારનાં નથી.
મૂળ તો થોડીક જ જગ્યા રોકે અને થડ, શાખા, ડાળાં, પાંખડાં વગેરે તો વિશાળ જગ્યાને રોકે. મૂળમાં એ બધું હતું કે નહિ ? હતું જ. મૂળમાં એ બધું હતું માટે જ બહાર આવ્યું. એ બધું તો જેને કાઢતાં આવડે તે જ કાઢે. મૂળ ક્યાં રોપવું, કેમ રોપવું, એને શું પાવું અને કેટલું પાવું, એ તમને ખબર પડે કે