SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! વીરસં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૬, પોષ વદ-૭, સોમવાર, તા. ૨૦-૧-૧૯૩૦ ♦ શંકા કોની ટળે ? ૭ સર્વજ્ઞની એક વાત પણ ન માને તેય મિથ્યાદૃષ્ટિ : ♦ માત્ર મૂળસૂત્રને જ માનવાથી ન ચાલે ! ૭ એકાંતવાદમાં મિથ્યાત્વ : ♦ દ્રવ્ય-ભાવ, જ્ઞાન-ક્રિયા ઉભયાત્મક જૈનદર્શન : ♦ ભાષ્ય, ટીકા, ચૂર્ણિ વગેરેનું મૂળ જેટલું જ મહત્ત્વ : ♦ અળશિયાં જેવા કલ્પિત મતો : ♦ આજના વિરોધીઓ ! ♦ દીક્ષાની અરુચિના ઓડકારો : ♦ ધર્મવિરોધીઓની દાંભિકતા : ♦ દુર્જનોની મધુરતામાં વિષની કાતિલતા ! 37 શંકા કોની ટળે ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને મેરૂપર્વત સાથે સરખાવતાં સમજાવે છે કે, જેમ મેરૂની પીઠ વજની છે, દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપી મેરૂની સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજ્રરત્નની પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પીઠમાં પોલાણ પડે તો કુમતવાસના રૂપી પાણી એમાં ઘૂસે, જેથી ઉપરનો પહાડ ચલવિચલ થાય. સમ્યગ્દર્શન રૂપ પીઠમાં દોષો એ પોલાણ છે. એ પીઠને પોલી બનાવનારા પાંચ દોષો છે. એમાં શંકા એ ભયંકર દોષ છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં, એ તારકની આજ્ઞાનુસાર જ બોલનારા મહર્ષિઓના વચનમાં અને એ પરમતારકના સુવિશુદ્ધ માર્ગમાં યોગ્ય આત્માઓને તો શંકા થવી શક્ય જ નથી; એનું કારણ કે, વાસ્તવિક રીતે તેમાં શંકાને કા૨ણ નથી. એનું કારણ એ છે કે, જે વસ્તુ જે સ્વરૂપે હતી, જે સ્વરૂપે છે અને જે સ્વરૂપે હશે, તે વસ્તુ તે જ સ્વરૂપે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કહેવાઈ છે, કહેવાઈ છે, કહેવાય છે અને કહેવાશે. એમાં સંશય થવાનાં કારણો અને થાય તો તેનાથી બચી જવાના ઉપાયો
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy