________________
449
૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35
WH
* ભાવાર્થ : “આ બેય પ્રકારની શંકા ભગવાન શ્રી અરિહંત પરમાત્માએ પ્રણીત કરેલ પ્રવચનમાં અવિશ્વાસ રૂપ છે; આ જ કારણે એ બે પ્રકારની શંકા સમ્યક્ત્વને દૂષિત કરે છે.”
૪૪૯
આ ઉપ૨થી એ વાત સ્પષ્ટ છે કે, શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલી એક પણ વસ્તુમાં શંકા કરવી એ યોગ્ય નથી, કારણ કે, આપ્ત પુરુષના કથનમાં શંકા કરવી એ પણ પાપ છે, માટે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એ જ કારણે એ જ ઉપકારી પરમર્ષિ આગળ વધીને એમ પણ ફરમાવે છે કે -
ભાવાર્થ : “આપણી પ્રમાણપરીક્ષાથી નિરપેક્ષ એવા પણ પદાર્થો કે જે કેવળ આગમથી જ જાણવા યોગ્ય છે, તેવા પદાર્થોને વિષે પણ તે આપ્ત પુરુષોએ પ્રરૂપેલા હોવાથી સંદેહ કરવો એ યોગ્ય નથી.”
•
આ પ્રકારે ફરમાવીને કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આપણને નિશ્ચિત રૂપમાં સમજાવે છે કે, શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા પદાર્થો એવા પણ હોય છે કે, જે આપણી પ્રમાણપરીક્ષાની અપેક્ષા નથી રાખતા, કારણ કે, કેવળ આગમગમ્ય પદાર્થો પ્રમાણપરીક્ષાથી પર હોય છે, એટલે તે પદાર્થો કેવળ આગમથી જ જાણવા યોગ્ય છે. એવા પદાર્થોને વિષે સંદેહ કરવો એ પણ અયોગ્ય છે અને એનું કારણ એ જ કે, તે પદાર્થો આપ્ત પુરુષે પ્રરૂપેલા છે.
આથી એ સ્પષ્ટ છે કે, આપ્ત પુરુષોના કથનમાં શંકા કરવાને કોઈ કારણ જ નથી;.આ છતાં પણ એ ઉપકારી જાણે છે કે, મોહની ગતિ વિચિત્ર છે અને એ મોહ ભલભલા આત્માને પણ મૂંઝવે છે, માટે આપ્ત પુરુષના કથનને માનવામાં પણ મૂંઝવનાર કોણ છે તે દર્શાવી અને તે મૂંઝવણથી બચવાનો અનુપમ ઉપાય દર્શાવતાં, કયાં કયાં કારણોથી મૂંઝવણ થવાનો સંભવ છે તે અને તેનાથી બચવા માટે બુદ્ધિશાળીએ શું વિચારવું જોઈએ, એ સમજાવતાં પણ ફરમાવે છે કે –
“ભાવાર્થ : “જે કોઈ પણ સ્થળે કદાચ મોહના વશે પ્રવચનમાં સંશય થાય,
:
• " इयं च द्विधापि भगवदर्हत्प्रणीप्रवचनेषु अप्रत्ययरूपा सम्यक्त्वं दूषयति । "
• "केवलागमगम्या अपि हि पदार्था अस्मदादिप्रमाणपरीक्षानिरपेक्षा आप्रप्रणेतृत्वान्न सन्देग्धुं યોગ્યાઃ ।'
■ "यत्रापि मोहवशात् क्वचनसंशयो भवति तत्राप्यप्रतिहतेयमर्गला यथा
“જ્જ ય મતુ=òળ, તત્વિજ્ઞાયરિયવિદ્દો વાવિ
नेयगहणत्तणेण य, नाणावरणोदएणं च ॥ १ ॥ (૪૫૦મા પાને પાદટીપ ચાલુ)