________________
૪૩૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
436 માટીના કણિયામાં અસંખ્યાતા જીવ અને એટલી આલુની કણીમાં અનંતા જીવ, આ વાત શ્રદ્ધા વિના કઈ રીતે ગળે ઊતરે ? સંસારના રસિક આત્માઓને પરમતારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સીધી ગળે ઊતરે એવી નથી; કારણ કે, એ આજ્ઞા બંગલાને કેદખાનાં અને અલંકારને ભાર તરીકે સમજાવી, આખાયે સંસારને ભયંકર કહે છે. આ વાત ઉપર સંસારરસિકને કઈ રીતે શ્રદ્ધા બેસે ? ઘર કેદખાનું ? હા, ધોળું કેદખાનું કે જેમાંથી નીકળવાની ભાવના જ ન થાય!. માટે જ છે એમાંથી નીકળ્યા તે જ ભાગ્યવાન ! આથી વસ્તુના સ્વભાવમાં પ્રશ્ન ન હોય.
જો એમ વસ્તુના સ્વભાવમાં પણ કરે તો કોઈ ક્રિયા એવી નથી કે, જેમાં શંકા ન થાય અને તે પછી એક પણ ક્રિયા પ્રેમપૂર્વક કરાય નહિ; માટે શ્રાવકે , શ્રાવકપણું ટકાવવું હોય તો બે વખત પ્રતિક્રમણ વગેરે કરવું જોઈએ. સમ્યગુદૃષ્ટિએ સમ્યક્ત્વ ટકાવવું હોય તો રોજ શ્રી જિનપૂજન વગેરે કરવું જોઈએ તથા રોજ જિનવાણી સાંભળવી જોઈએ. સમ્યકત્વ રાખવા માટે કરાતી આ ક્રિયા સર્વવિરતિના પરિણામને પણ ખેંચીને લાવનારી છે, તો પછી “વૈરાગ્ય કેમ થયો ?” એ પુછાય જ કેમ ? જો વૈરાગ્ય પામેલો હોશિયાર હોય તો એવા ઉન્મત્તોને કહી દે કે, “હું પુણ્યવાન છું માટે મને વૈરાગ્ય થયો અને તે નિર્ભાગી છે માટે તને વૈરાગ્ય ન થયો; મેં પૂર્વે ધર્મ આરાધ્યો માટે મને વૈરાગ્ય થયો અને તેં ધર્મ નથી આરાધ્યો માટે તને વૈરાગ્ય નથી થતો; મને લાગે છે કે, “ત્યાં પણ તું આવો જ કાળો હશે.” ઘણી વખત ગાંડાઓને સમજાવવા આ રીતે કહેવું પડે. - આ બધું વિચારતાં સમજી શકાશે કે, શ્રી જિનેશ્વરદેવના ધર્મતીર્થની સ્થાપના સ્વભાવસિદ્ધ છે, પણ સ્થાપવા માટે સ્થાપના નથી કરી. તરવાનો ધોધ ત્યાંથી સ્વભાવતઃ નીકળે છે. શ્રી તીર્થંકરદેવ ઇચ્છાથી તીર્થ સ્થાપતા નથી. સ્થાપવા માટે સ્થાપતા નથી. શ્રી તીર્થંકરદેવ જે દેશના આપે છે તે પણ તીર્થકર નામકર્મને ખપાવવા માટે જ આપે છે. આવા તીર્થને પામેલો આત્મા સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. એવો સમ્યગુદૃષ્ટિ આત્મા રસપૂર્વક ઘરમાં રહે નહિ. કોઈ રાખે એ ભલે, પણ એને રહેવાની ઇચ્છા હોય નહિ.
સમ્યગ્દષ્ટિનો સ્વભાવ કેવો ? એ જ કે મુખ ધર્મ તરફ અને પીઠ ઘર તરફ! હવે વિચારો કે પ્રભુઆજ્ઞામાં વિહરતા શ્રીસંઘનો સ્વભાવ કેવો ? જેશ્રીસંઘમાંથી રત્નત્રયીના પૂજારી, પ્રચારક, પ્રશંસક, પોષક ન નીકળે, તેને શ્રીસંઘ કેમ જ ગણાય ? આથી એ તો સ્પષ્ટ જ છે કે, રત્નત્રયી સામે લાલ આંખ કરનાર તો સંઘ નથી જ.