________________
૪૩૩
433
૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34
બ્રહ્મચારી માટે, બ્રહ્મચર્ય વ્રત વર્ષો સુધી પાળેલું હોય એને માટે પણ એ નવ વાડો પાળવાનો નિયમ છે. ચિત્ર તો દૂર રહ્યું, પણ સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષથી અમુક કાળ પર્યંત તથા પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીથી અમુક કાળ પર્યંત ન બેસાય, આ નિયમ છે. જ્ઞાનીએ જોયું છે કે, પુદ્ગલનો સંચાર પણ વિકાર કરે છે, ત્યારે આજના પરીક્ષકો વિરાગની પરીક્ષા માટે એને સ્ત્રીઓ પાસે મોકલવાનું કહે છે. ‘ત્યાં એ ટકે તો વિરાગી માનવો' એમ કહે છે. આવા આત્માઓને ધર્મી કહેવા કે અધર્મી ? શ્રી જિનેશ્વરદેવે જોયું કે, કામવિકાર એ ભયંકર ચીજ છે. એ જગ્યા પર બેસવાથી પણ વિકારભાવના થાય. આત્માનો ગુણ નિર્મોહીપણાનો છે. એમાં જડર્નો સંયોગ ઘાતક છે. ત્યારે આજના અજ્ઞાનીઓ કહે છે કે, ‘વૈરાગ્યની ખાતરી તો, ત્યારે થાય કે સ્ત્રીઓના ટોળામાં રહીને વિકારને જીતે તો.’
શાસ્ત્ર તો કહે છે કે, મા-બેન સાથે પણ એકાંતમાં ન રહેવું. ઉંમર લાયક થયા પછી બનતાં સુધી એના અંગનો સ્પર્શ પણ ન કરવો. કોઈ વિષમ પ્રસંગે સ્પર્શ થઈ જાય એ વાત જુદી, પણ ‘અડવું જોઈએ' એમ કહેનાર માટે શાસ્ત્ર કહે છે કે, એમાં છૂપી કામવાસના ભરેલી છે. એના જ એ ઉદ્ગાર છે; એટલે વૈરાગ્યની પરીક્ષા માટે અયોગ્ય સ્થળે મોકલવાનું અગર રાખવાનું કહેનાર ઇરાદાપૂર્વક એના વૈરાગ્યની કતલ કરનાર ખૂની છે.
લોકવ્યવહાર પણ એવો છે કે, ઉઠાવગીર દિવસે આવીને બધું જોઈ જાય, પછી રાત્રે આવે, એથી એ દિંવસે આવે ત્યારે શાહુકારને ખબર પડી જાય તો પકડાવી દે. ત્યારે આજના અજ્ઞાનીઓ જ નહિ, પણ ધર્મનો નાશ કરવા ઇચ્છનારાઓ તો કહે છે કે, આવે તો પેસવા દેવા, પછી જોઈ લેવું. પણ પછી શું જોવું ? જંગલી જાનવરોને પાળનારા ૨માટે ખરા, પણ રાખે આઘાં. વાઘને પોતાનો હાથ ન ચાટવા દે. દાંત બેસે ને લોહીનો સ્વાદ ચાખે તો એ માલિક થઈ જાય, કેમ કે, વાઘ જાતિસ્વભાવ ઉપર ગયા વિના રહે નહિ. પ્રભુમાર્ગને પામેલા આત્માનો સ્વભાવ વૈરાગ્ય છે અને દુનિયાના પદાર્થોનો સ્વભાવ વૈરાગ્ય પર લૂંટ ચલાવવાનો છે; તો પછી ત્યાં કેમ જ મુકાય ? મીણના ગોળાને જેવો છે તેવો જ ગોળ રાખવો હોય તો શું એને અગ્નિ પાસે મુકાય ?
આત્મગુણ ગમે ત્યાં પ્રગટી શકે છે !
આજના અજ્ઞાન લોકોએ તો શ્રી સ્થૂલિભદ્રજીનો જ દાખલો ગોખી રાખ્યો છે અને એ આપે છે. ત્યારે શાસ્ત્ર કહે છે કે, ‘એ એક જ.’ એની સામે તેઓ એમ કહે છે કે, ‘અમારે તો બધા એવા જ જોઈએ. તો વિચારો કે, એ આત્માઓ મિથ્યાદ્દષ્ટિ ખરા કે નહિ ? ખરે જ, આવા માણસો મિથ્યાદ્દષ્ટિ જ નહિ, પણ શાસનમાં ભયંકર ઉત્પાત કરનારા છે, માટે એવાઓથી વેગળા રહેવું જ સારું છે.