________________
427 - ૩૪ ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 – ૪૨૭
અહીં રાગ, દ્વેષ અને મોહ સર્વથા નથી, માટે અસત્ય બોલવું એ સંભવિત નથી. છબસ્થોને અનુપયોગથી સહેજે બોલાઈ જાય. ચાર જ્ઞાનના ધણી, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા એવા પણ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પણ અનુપયોગથી આનંદ શ્રાવક પાસે “મિચ્છામિ દુક્કડ” દેવાનો પ્રસંગ આવ્યો, કારણ કે, છમસ્થનું જ્ઞાન ઉપયોગ મૂકે તો કામ આવે અને શ્રી સર્વજ્ઞ પરમાત્માને ઉપયોગની જરૂર નથી.
એ કેવળજ્ઞાન ત્યારે જ થાય છે કે, “રાગ, દ્વેષ અને મોહ”નો સર્વથા અભાવ થાય. એટલે ત્રણે દોષોનો સર્વથા અભાવ હોવાથી ત્યાં અસત્યનો. સંભવ જ નથી, એ ઉપકારીઓએ જે વાત કહી છે, તે કાંઈક કહેવું જોઈએ માટે કહી છે એમ પણ નથી; ઇચ્છા હતી માટે કહી છે એમેય નથી; જેમ સૂર્ય જગતને પ્રકાશ આપે છે તે ઇચ્છાથી નહિ ! શું એના વિમાનમાં રહેલા એકેંદ્રિય જીવો જગત ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળા છે ? નહિ જ, પણ એ રત્નોમાં ગુણ જ એવો છે કે, પ્રકાશ જ થાય. તેમ શ્રી તીર્થંકરદેવોનો તીર્થ સ્થાપવાનો શ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી સ્વભાવ જ છે. જગતનો ઉપકાર કરવો, એ જ એ તારકનો સ્વભાવ છે.
શ્રી જિનેશ્વરદૈવની આ સ્થિતિ સમજાય તો પછી એક પણ કુવિકલ્પ ન થાય. જેનામાં સ્વભાવ જ પ્રકાર પાડવાનો, તે અંધકાર આપે જ નહિ; જે એના ' પ્રકાશને ન સહે તે અંધ થાય તે વાત જુદી, પણ પ્રકાશ કરનારામાં એ ભાવના
નથી કે, આને પ્રકાશ આપે અને આને અંધ કરું ! સૂર્ય ઊગે ત્યારે બધે જ પ્રકાશ - થાય, ગંધાતી ગટરમાં પણ પ્રકાશ થાય. કારણ કે, સૂર્ય પ્રકાશ કરવા માટે કંઈ કરતો નથી, પણ પ્રકાશ કરવાનો એનો સ્વભાવ છે. પાસેથી જનારને ગુલાબની સુગંધી આવે જ, પણ કોઈને ન જ લેવી હોય અને નાક દાબે એ વાત જુદી; તેમ ધર્મતીર્થની સ્થાપના, એ શ્રી તીર્થંકરદેવના તીર્થકર નામકર્મના સ્વભાવનું પરિણામ માત્ર છે. આટલું સમજો અને માનો તો પછી એક પણ કુવિકલ્પ ટકે જ નહિ.
પ્રકાશનો સ્વભાવ જ કે, જે વસ્તુ જેવી હોય તેવી બતાવે; કાળીને કાળી, ધોળીને ધોળી, રૂપાળીને રૂપાળી અને કદરૂપીને કદરૂપી બતાવે જ; કીડા પડવાથી સડી ગયેલા અંગવાળાને તેવો બતાવે. કોઈ પૂછે કે, “કીડા પડેલા કેમ બતાવ્યા ? એવું બતાવનાર તું જભ્યો કેમ ?' એમ પૂછે તેથી કંઈ ઓછું જ વળે? પ્રકાશ તો એવા હશે તેવા બતાવશે જ.
જગત જે સ્વરૂપે છે તે સ્વરૂપે કહેવું એ તો શ્રી જિનેશ્વરદેવનો સ્વભાવ છે. ત્યાં આમ કેમ કહ્યું, એ પ્રશ્ન તો. એમણે જો કોઈ ઇરાદાપૂર્વક કહ્યું હોત તો