________________
૪૨૫
425. - ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - ૩૩ - જે પોતાની જાળમાં ફસાય તેની પાસે જ જાય. એ તો કોણ ફસાય ? સાગરમાં પણ નાની માછલીઓ, કિનારે રહેલ માછલીઓ જ ફસાય, પણ મધ્ય-સાગરમાં મહાલતા મચ્છને ફસાવવાની મચ્છીમારોમાં પણ તાકાત નથી હોતી; તો પછી સાચા સાધુઓ એ શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપી સાગરના મધ્ય ભાગમાં મહાલતા મહામસ્યો છે; તેઓ એમની જાળમાં ન આવે. બહાર રહેલા, ગયેલા, વીતેલા હોય એની વાત જુદી. એ બિચારા ફસાય.
હું ધારું છું કે, સાચું સાંભળ્યા પછી તમે પણ તેઓની જાળમાં ન આવો. આથી સુશ્રદ્ધાથી પતિત કરનારું બહારનું સાહિત્ય વાંચવું જ બંધ કરો ! અને સદ્ગુરુ દ્વારા બે કલાક સાંભળેલાનું ચોવીસ કલાસ મનન કરો તોય ઘણું છે.
આ દશા દશકા પહેલાં હતી ? નહિ, તો આજે કેમ ? એથી જ કે, તમે એવાઓ સાથે ભળ્યા, પોતાને ઘેર આવવા દીધા, નકામો વ્યવહાર રાખ્યો, ખોટો સંબંધ બાંધ્યો અને વધાર્યો, તેથી ગૂંથાયા અને પરિણામે આ સ્થિતિ આવી. હજી પણ જો “હશે હવે !” એમ કરી કરીને દશકો એવો નિભાવશો, તો આટલું પણ બોલી નહિ શકો; તમે એમના ગુલામ બનશો; તમારા પૈસા અને તમારી પીઠ; તમારા માલથી તમને માર પડશે; માટે કહું છું કે, ભયંકર મિથ્યાષ્ટિઓનો પરિચય મૂકી ઘો, ઉસૂત્રભાષીઓની તો છાયાએ પણ ન રહો અને શાસનના વિરોધીને તમારા ઘરના આંગણે પગ પણ ન મૂકવા ઘો.
પૂર્વની પ્રભુભક્તિ વગેરેના પ્રસંગો વિચારો અને આજના નિહાળો ! આવી સ્થિતિ થઈ એનું એ જ કારણ છે કે, અનિચ્છાએ પણ આવાઓની છાયા પડી; જેથી ભાવનામાં શિથિલતા આવી. “આ છોડવા જેવું છે અને નથી છૂટતું' એવી જો ભાવના હોય તો પસ્તાવાથી રોવું આવે ! અસ્તુ.
આ બધુંય એટલું જ સમજાવવાને માટે કહેવાય છે કે, “શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન કરાય; શ્રી સર્વજ્ઞ પરમાત્માના ફરમાવેલા વચનમાં લેશ પણ શંકા ન જ હોય.” શરૂથી જ પ્રશ્નકાર ભાઈને ઉદ્દેશીને કહેવામાં આવ્યું કે, તમે કાંઈ ભણ્યા નહિ એની જ આ રામાયણ છે. જીવવિચાર, નવતત્ત્વ એ બધું ભણો તો ખરા. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરનાર તીર્થકર નામકર્મ બાંધે : સંઘ લઈ જનાર પણ તીર્થકર નામકર્મ બાંધે; વળી મૂર્તિ કેવી હોય ? શાની શાની બને ? શ્રી અરિહંત પદની આરાધના કેવી રીતે અને કેટલા પ્રકારે ? આ બધું ભણ્યા હોત તો વિરોધી તમારી પાસે ન ફાવત અને તમે જ એમને કહેતા કે, “શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન જ હોય.’ અસ્તુ.