________________
415
- ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - ૩૩
-
૪૧૫
જિનવચનમાં શંકા એ દોષ છેઃ
રાગ એ દુર્ગુણ છે. એ જ્ઞાનને ઢાંકે છે. જીવ જ્યારે રાગને આધીન બને ત્યારે ભણતર, સંબંધ, જાત, આબરૂ, દિશા બધું ભૂલી જાય. રાગ, દ્વેષ એ એવા ભયંકર શત્રુ છે કે, એ હોય ત્યાં સુધી જીવને સંપૂર્ણ જ્ઞાન થાય જ નહિ. જેમ ભયંકર રાગી તરફથી સાચા અને હિતકારી વર્તનની આશા જ ન રાખી શકાય, તેમ શ્રી વીતરાગ તરફથી ખોટા કે અહિતકારી વર્તનની પણ આશા ન રાખી શકાય, કારણ કે, અસત્યના મૂળભૂત રાગ, દ્વેષ અને મોહ જાય તે પછી અસત્ય આવે જ કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવના આત્મામાં આ ત્રણેય દોષોનો સર્વથા અભાવ હોય છે જેથી તેમના મુખમાંથી અસત્ય નીકળે જ નહિ.
આપણી અસત્ય બોલવાની જરા પણ ઇચ્છા ન હોય તે છતાં પણ છદ્મસ્થતાના યોગે બોલી પણ જવાય, માટે જ સાવધ રહેવા મુનિઓને ફરમાવ્યું છે અને કહ્યું છે કે, “વિચારીને જ બોલવું!” કેમ કે, અસત્ય ન બોલવું એવો નિયમ છે, પણ રાગાદિક દુશ્મનો જીવતા બેઠા છે, જો સાવધાની ન રહે અને બોલી પણ જવાય તો કર્મોની પક્કડમાં આવી જવાય માટે જોઈ-જોઈ, વિચારી-વિચારી અને સમજી-સમજીને જ બોલવાની મુનિઓને પણ આજ્ઞા છે.
શ્રી જિનેશ્વરદેવને તો કશું વિચારવાનું જ નહિ. કેમ કે, એ તારકોને આવરણ જ નથી. ભૂલનો સંભવ હોય તો વિચારે ને ? તે તારકો, કેવળજ્ઞાનથી “જે જુએ છે અને જાણે છે, તેમાંથી કોઈપણ ચીજ પ્રત્યે એ તારકોને રાગ કે દ્વેષ હોતો જ નથી; એટલે એ તારક માટે અસત્ય બોલવાનો સંભવ જ નથી. આવા મહાપુરુષના વચન પર વિશ્વાસ રાખવાનો છે. * શ્રી જિનેશ્વરદેવે કહેલું હોવા છતાં, અજ્ઞાનતાના યોગે એમાં સમજવા માટે જિજ્ઞાસારૂપ શંકા જરૂર થાય, પણ અપ્રતીતિ પેદા કરનારી શંકા ન જ થવી જોઈએ અને કદાચ થઈ જાય તો “આવા જ્ઞાનીને અસત્ય બોલવાનું કશું જ કારણ નથી' એમ વિચારો, તો ઉત્પન્ન થયેલી શંકા પણ તરત જ નાશ પામે. એ તારકોની આજ્ઞામાં મોહમગ્ન આત્માઓને ન ગમે એવું ઘણું આવે છે, કારણ કે, ઘરબાર છોડવાં વગેરે વાતો આવે છે; માટે ત્યાં શંકા થાય છે. કાંઈ જ ન કરવું પડતું હોત તો જરાય શંકા ન થાત.
જે ધર્મોમાં ખાવાપીવાની-વિલાસોની છૂટ છે, ત્યાં શંકા નથી થતી. શંકા તો ત્યાં જ થાય કે જ્યાં આત્માની સ્વચ્છંદ વૃત્તિ ઉપર કાબૂ મૂકવાનો હોય. દુનિયાદારીના વ્યવહારમાં ક્યાંય શંકા થાય છે ? સ્ત્રીઓએ પતિને માર્યાના દાખલા જાણો છો કે નહિ ? તમારા પર રાગી છે તેનાથી કેટલાય ગુણી રાગી