SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ને ? તો પછી એવાઓથી થાય પણ શું ? એક પણ સાચો ત્યાગી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પ્રભુનો માર્ગ નહિ જ લોપાય. પ્રભુનો માર્ગ લોપાય અને સાચો મુનિ જીવે, એ બને ખરું ? ૩૭૨ 372 જૈનસમાજમાં જન્મવા છતાં કંગાલિયતની બૂમો મારનારાઓએ સમજવું જોઈએ કે, જૈનશાસનની ભાવના નાશ થઈ ત્યારે જ કંગાલિયત આવી છે. પુણ્યયોગે આ પામ્યા છો, પણ સારા બનવું હોય અને અહીં પણ સુખી થવું હોય, તો તમે તમારી સઘળીયે શક્તિઓ પ્રભુશાસનની સેવામાં ખર્ચો અને પાપમાત્રથી પાછા હઠો, પાપને નિંદો અને ગર્હો તથા પાપીઓથી પણ જગતને બચાવવા તમારાથી બનતા સઘળા સુપ્રયત્નો કરો. કારણ કે, એ સિવાય આ લોકમાં કે પરલોકમાં. અર્થાત્ કોઈ પણ સ્થળે સુખી થવાનો ઉપાય નથી. સઘળી શક્તિઓ શ્રી વીતરાગ પરમાત્માના શરણે સમર્પી પાપમાત્રથી પાછા હટવું, પાપોની નિંદા અને ગર્હ કરવી તથા વિશ્વને પાપથી બચાવવા માટે પાપીઓને ખુલ્લા કરી દેવા, એ સહુ કોઈ કલ્યાણાર્થીની અનિવાર્ય ફરજ છે. એ ફરજ નહિ બજાવો તો તમારી જાતને પણ તમે 'ખરાબ કરી રહ્યા છો એમ નક્કી માનજો. ધર્મમાં વાયદા ન હોય અને પૈસાના હિસાબ પણ ન હોય; એમાં જે ખર્ચાય તે બધું જ સફળ, સફળ અને સફળ જ છે; અને તે માટે જ કહું છું કે, ‘આમાં ભૂલ્યા તો મળેલું બધું જ હારી જશો.' સભા : હારી જ જવાય છે. એથી જ કહેવું પડે છે કે, ‘નહિ ચેતો તો પરિણામ ભયંકર છે અને એ પરિણામ ભોગવતાં રોવું પડશે. ટોણા મારનાર વારંવાર નહિ મળે. પૂર્વના પુણ્યોદયથી આર્યદેશ, આર્યજાતિ, આર્યકુલમાં આવ્યા છો, તમને જોઈને ચા૨ જણ ઝૂકે છે માટે પુણ્યોદય જરૂ૨ છે, અને એ પુણ્યોદયને વધારે ખીલવવા આના સિવાય બીજું એક પણ સાધન નથી. મળેલી વસ્તુઓને પંપાળીને ફુલાશો મા અને જોઈને રાચશો મા. કોઈની થેલીઓ ગુમ થઈ ગઈ. કરોડોની અને અબજોની મિલકત જોતજોતામાં ચાલી ગયાનાં દૃષ્ટાંતો છે. કાબુલના શહેનશાહનું દૃષ્ટાંત તો આંખ સામે છે. જે મુંબઈના કિનારે ઊતરે ત્યારે તેને બ્રિટિશ સલ્તનત સામે લેવા જાય, વાઇસરૉય જેની સાથે ફરે એવો બાદશાહ બીજે વર્ષે કંગાલ બની ચાલી નીકળે છે; માટે રોતાં રોતાં છોડવું પડે એના કરતાં હસતાં હસતાં છોડીને જવું શું ખોટું ? લોકોની દીનતા કરવા કરતાં ધર્મામ બોલતા થાઓ ને ! એવા ભયંકર રોગો થાય છે કે, પછી ચા તો શું પણ પાણીનું ટીપું પણ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy