________________
371 – ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 –– ૩૭૧ દીક્ષા અંગીકાર કરતા જોઈને લોકોએ વિચાર્યું કે, “જો આમ ને આમ ક્ષત્રિયો દીક્ષા અંગીકાર કરશે તો પૃથ્વી ક્ષત્રિયો વિનાની બની જશે.” આ પ્રમાણે વિચારી અજ્ઞાન લોકોએ એ નાટકના પુસ્તકને જ અગ્નિમાં નાંખીને બાળી મૂક્યું.
આવા પ્રકારનો બનાવ શ્રી અષાઢાભૂતિના જીવનમાં બન્યો છે. આ બનાવ ઉપર જો વિચાર કરવામાં આવે તો ઘણું ઘણું વિચારી શકાય તેમ છે અને જો વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તો એમાંથી નાટક મળે તેમ નથી, પણ કાંઈક બીજું જ મળે તેમ છે; પણ આજના વિષયપિપાસુઓને તો આ દૃષ્ટાંતમાંથી કેવળ નાટક જ જોઈએ છે, પણ એમાંથી નથી જોઈતી શુદ્ધ શ્રદ્ધા, નથી જોઈતી ગુરુભક્તિ, નથી જોઈતો ગુરુ પ્રત્યેનો શુદ્ધ સદ્ભાવ, નથી જોઈતો ગુરુનો સદુપદેશ, નથી જોઈતો દોષોનો સાચો એકરાર, નથી જોઈતો શુદ્ધ પશ્ચાત્તાપ, નથી જોઈતો વૈરાગ્ય અને નથી જોઈતી અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી દીક્ષા ! ત્યાં થાય શું ? સભાઃ જો આમ જ છે તો તો ઇશારાપૂર્વક જૈનદર્શનને જગતમાં કલંકિત કરવા
માટે જ નાટકમાં જ્ઞાનીઓને ઉતારવાનું કહેવાતું હશે ને ? એમ જ છે, એમ ખુશીથી કહી શકાય; નહિ તો આવા બનાવમાંથી એકલી નાટકની વાત જ કેમ ઉપજાવી શકાય ? વળી જો એમ ન હોય તો “સાધુના વેષમાં રહીને સંસારની ભાવના ન જ પોષાય એમ કોણ નથી સમજી શકતું ? છતાંય તેવાઓ તરફથી તેવું ચલાવાય છે અને ચલાવવા દેવાય જ છે ને ? અન્ય શ્રાવકથી પણ ત્યાગ વિરુદ્ધ ન બોલાય અને સંસારને ન વખાણાય, તો પછી સાધુની તો વાત જ શી ?
પ્રભુમાર્ગથી રગેરગ રંગાઈ ગયેલા શ્રાવક પણ કહે કે, “અમે મૂંઝાયા છીએ; સંસારમાં પણ આ ધર્મ વિના બીજું શરણું જ નથી, કારણ કે, ત્યાગ વિના કલ્યાણ જ નથી; અમારી કમનસીબી છે કે, અમે ત્યાગ સ્વીકારી શકતા નથી; પણ આજનાઓ તો દાંત પીસીને બોલે છે કે, “આ જમાનામાં ત્યાગ શા ?' એની સામે અમારે કહેવું પડે છે કે, “જોજો દાંત પીસતાં પીસતાં પોતાના જ હોઠ ન કરડાઈ જાય અને પોતાની જ જીભ ન પિલાઈ જાય, કારણ કે, એમની તાકાત શી છે કે, એ અનંતજ્ઞાનીઓએ કહેલી વસ્તુને ચાવી ખાય ? એને જિવાડનારા તો હજુ પણ સંખ્યાબંધ આત્માઓ બેઠા છે. ગમે તેવા તોયે દાંત પીસનારાઓ ઘરબાર અને કુટુંબ પરિવારના ગુલામ કે બીજા ? અને એમની વાતોમાં “હા' પાડનારા સાધુઓ તેઓના જ ગુલામ