________________
૨૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
284
સભા પણ દરેકની સ્કીમ જુદી હોય છે.
હવે સમજ્યા ! એમની દરેકની સ્કીમ જુદી. સગા ભાઈ, પણ બેયની વાત જુદી ! અહીં આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ જે બોલે તે બધા એક જ વાત બોલે; જે બીજું બોલતા હોય એની વાત જુદી. એનું એ જાણે ! જેને ફેરફાર બોલવું જ હોય, એનો ઉપાય નથી. અહીં તો શ્રી આચારાંગમાં, શ્રી ભગવતીજીમાં, પૂજામાં, કથામાં બધામાં એક જ સૂર ! સુધારકોને કહો કે, ‘આવું તમારું સાહિત્ય લાવો !'
સભા અંતરઅવાજની ગુલામી થાય ?
અજ્ઞાન હોય ત્યાં સુધી અંતરઅવાજને માન આપવાની છૂટ જ નથી. અજ્ઞાનીને ફાવે તેમ વર્તવાની છૂટ હોય ? તરતાં આવડે નહિ ને પાણીમાં પડતું મૂકે, તો પાતાળમાં જવું પડે ? તરવાની કળા આવડતી હોય તો પણ કાયા મજબૂત હોય તો જ પાણીમાં પડાય. દમિયલ પડે તો શ્વાસ ચઢે, મોંમાં પાણી જાય, હાથપગની શક્તિ મંદ પડે અને ડૂબી જાય; મડદું થઈને બહાર નીકળે.
પહેલાં જ્ઞાની થાઓ, પછી અંત૨અવાજ પ્રમાણે વર્તો. કારણ કે, એ અંતર અનંતજ્ઞાનીની આજ્ઞાને અનુસરતું જ હોય.
તમારા હાથમાં ચપ્પુ છે, ને બાળકના હાથમાં કેમ નહિ ? એને વાગે, લોહી નીકળે, માટે ન અપાય; કેમ કે, બાળક હજી સમજતું નથી..
તમારા ભાણે મિષ્ટાન્ન, પણ બાળકને નહિ, એને મિષ્ટાન્નની પાસે પણ ન આવવા દેવાય. કેમ કે, ખાય તો માંદો પડે !
હવે તમે આવા સુધરેલાની વાત જવા ઘો ! એમની વાતમાં કાંઈ માલ નથી. ખુદ પોતે બગડેલા છે, પોતે બગડવા ઇચ્છે છે તથા બીજાને બગાડવા ઇચ્છે છે, એ શું સુધારો કરશે ? મંદિર જેમની આંખમાં ખટકે, મૂર્તિ સંગ્રહસ્થાન લાગે, મંદિર તથા મૂર્તિ ખડકલા લાગે, એ શું સુધારો કરશે ? સમાનવાદના સિદ્ધાંતની પોકળતા ઃ
કાલ સુધી જેને ‘તું’ કહેવામાં આવતું, તે આજે અગિયાર વાગે એવા સ્થાને બેસે કે, જેને ‘આપ’ કહેવું પડે, નમવું પડે, સલામો ભરવી પડે એનું કારણ શું ? અશુભોદયનો પલટો થયો અને શુભોદય આવ્યો ! એક દિવસ પહેલાંનો પશુપાળ, બીજે દિવસે પૃથ્વીપાળ થાય, એનું કારણ શું ? જેને બીજા ખાવા આપે, એને જ ધનાઢ્યો પણ શિર ઝુકાવે, એનું કારણ શું ? જે લોકો જૈનશાસનને સેવી પોતાની યોગ્યતા પ્રગટ કરે, એને આ શાસનમાં જગ્યા છે; એ ન બને એવું નથી.