________________
૨૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - એમ કહે કે, “હું અને ધર્મ વિરુદ્ધ' એ બને જ કેમ ? ધર્મ વિરુદ્ધ બોલાય તે પહેલાં તો મરી જાઉં !”
સભાઃ ધર્મવિરોધી હોય તો ?
હૃદયથી ધર્મવિરુદ્ધ થવાની ઇચ્છાવાળાની સંખ્યા થોડી છે, માટે દયાપાત્ર છે ! ઘણા તો અજ્ઞાન છે, દોરાયા દોરાય છે; માટે દયાપાત્ર છે ! નામચીન મદારી તો પાંચ-દશ-પંદર કે પચાસ જ ! એવાઓ તો સ્વાર્થી છે, યેન કેને. પ્રકારે, એ તો સ્વાર્થ સાધવા માંગે છે અને એમણે બીજાને રમકડાં બનાવ્યાં છે.
ડાહ્યા આદમી સુધારો ન માને ?સુધારો તો રોજ ચાલુ જ છે. શરીર, ઘર, . પેઢી, ચોપડા વગેરે સુધારવાનું કામ તો ચાલુ છે. આત્માને સુધારવાનું કામ પણ આજનું નથી, કારણ કે, અનંત જ્ઞાનીઓએ કહેલ છે. એ તો શુદ્ધ જ છે. સો ટચનું સોનું છે. અગ્નિમાં પસાર થઈને નીકળેલું છે. ક્ષપકશ્રેણિ રૂ૫ અગ્નિમાં તમામ કર્મને બાળી સાફ કરીને કેવળજ્ઞાન મેળવ્યું છે.
સભાઃ એમ કહેનારને અંધશ્રદ્ધાળુ કહે છે ને? .
આમાં કહેલી એક પણ વાતને ખોટી ઠરાવ્યા પછી કહેકે એમ ને એમ ? પોતાને ગમે, તેમ કહે તો કોણ રોકે ? આદમીને ગધેડો કહે, ગધેડાને આદમી રહે, તો એને કોણ ના પાડે છે ? સુધારો કોનું નામ ? જે ક્રિયાથી વિષય-કષાયની વાસના ઘટે, એનું નામ સુધારો છે. જૈનતરોનું પણ અંતિમ ધ્યેય એ છે. જૈનતરો, પણ કહે છે કે, દુનિયાની માયાથી અલગ થઈને પરમાત્મામાં મળી જવું! અંતરઅવાજ કોનો મનાય ?
શાસન કે સંઘની સ્થાપના શા માટે ? કોઈ પૂછે કે, “ઘર બાંધું? વેપાર કરું?” તો શાસન, “હા' ન જ કહે. કંપની કાઢવાનું પૂછે તો પણ શાસન તો હા” ન જ કહે. કોઈ એમ કહે કે, “અનીતિ ન કરું? તો કહે કે, “સારી વાત !” નહોતું કરવું પણ થઈ ગયું, પસ્તાવો બહુ થાય છે, તો જૈનત્વ જાય ?' એમ પૂછે તો કહેવું પડે કે, હૃદયમાં દુઃખ થાય છે માટે જૈનત્વ ન જાય ! આ તો એમ પૂછે કે, “પ્રસંગ આવે તો અનીતિ કરવાની છૂટ છે કે નહિ ?” તો ના જ પાડવી પડે. પ્રભુએ શાસનની (સંઘની) સ્થાપના શા માટે કરી, તે નક્કી કરો ! જે લોકો સુધારાની વાતો કરે છે, તેઓને પૂછો કે, શામાં સુધારો કરવો છે ? તેઓ કહેશે કે, “ભગવાનના ધર્મમાં ?'
સભાઃ ના, એમ કહે છે કે, સમાજમાં. એમને પૂછો કે, “સમાજ કયે માર્ગે જાય એને સુધારો માનો છો ? એમને