SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 266 પાછળનું જ જુએ; એ તો કહે કે, “આગળ પણ અમે છીએ અને પાછળ પણ અમે છીએ ! આગળથી પકડવા આવે કે પાછળથી પકડવા આવે, તે બેયને ખસેડવા તથા દૂર કરવા અમે તૈયાર છીએ. ધર્મીના આશ્રયસ્થાનરૂપ શ્રીસંઘ, સંસાર છેદવાના કાર્યમાં ચક્રરૂપ થાય અને ભૂલા પડેલા તથા અથડાતા એવા પણ અર્થીઓ માટે શ્રીસંઘ એ રથતુલ્ય છે. આલંબન વિના કોઈ કામ ન થાય. આ મકાનના ત્રણ માળ છે, પણ તે ચડાય શાના આધારે ? નિસરણીના આધારે જ ચડાય. નિસરણી ન હોય તો નીચે જ ' ઊભા રહેવું પડે. ત્રણ માળ ચડવા નિસરણી જોઈએ, તો સાત રાજલોકે ઊંચે જવા નિસરણી જ નહિ ? આજ કહે છે કે, “જે આત્મકલ્યાણ કરવા નીકળે એ સાધન તથા સહાય શા માટે માંગે ?' અમે કહીએ છીએ કે, “એને તો બહુ સહાય જોઈએ.' સારા કાર્ય માટે સહાય માંગવામાં નાનમ શી ? આત્મા અનેક પ્રકારની કર્મની વિચિત્રતાથી અવરાયેલો છે. શરીરની અનુકૂળતા હોય, તો સાધનની પ્રતિકૂળતા . હોય; સાધનની અનુકૂળતા હોય, તો શરીરની પ્રતિકૂળતા હોય; કોઈને બેય હોય, તો સાથીનું ઠેકાણું ન હોય; ફરવા જાય ત્યાંયે વાત કરવા સાથી જોઈએ છે, તો મોક્ષમાર્ગ માટે કાંઈ જ ન જોઈએ એમ ? આજ તો કહે છે કે, “છે કંઈ ઠેકાણું ?', આ શબ્દો શ્રીસંઘના મોંમાં હોય ? કદી જ નહિ. દુનિયાના પદાર્થો અનિત્ય છે, એ જગ્યું નથી એનું જ આ પરિણામ છે. શ્રી જૈનશાસનની આ તો અપૂર્વ ચાવી છે. જગતના પદાર્થોની અનિત્યતા, અસારતા, અન્યતા વગેરે શ્રી જૈનશાસન સિવાય આ રીતે કોઈએ સમજાવી નથી. શ્રીસંઘ તે કહેવાય છે, જે સ્વંય ધર્મી હોય; પોતાથી બને એટલો ધર્મ કરે, બીજાને કરાવે, કરતાંને અનુમોદ, સહાય કરે; પણ જે પોતે કરે નહિ અને કરતાને સારો માને નહિ, એવાઓ તો વગર કહ્યું શ્રીસંઘથી બહાર જ છે, અઢારે પાપસ્થાનક પોતે સેવે નહિ, સેવરાવે નહિ અને અનુમોદે નહિ, એ તો પહેલા નંબરનો ઊંચામાં ઊંચો ધર્મી; કદાચ એ પોતાથી ન થાય, તો મુમુક્ષુ આત્માને સહાયક થઈ તેનો ત્યાગ કરાવે; એ પણ તાકાત ન હોય, તો ત્યાગ કરનારની અનુમોદના કરે; તો એ શ્રીસંઘમાં ટકી શકે છે. “આ તો પોતે ત્યાગ કરે નહિ, કરે એને કરવા દે નહિ, એટલું જ નહિ પણ ઉપરથી ધર્મ કરનારને કનડે અને પાછા કહે કે, “અમે સંઘમાં !” આવી નાલાયકતા પ્રભુના શાસનમાં ન જ ચાલે ! મૂંઝવણના નામે વિપરીત વાતો : શ્રી જિનેશ્વરદેવના આ અનુપમ શાસનને પામેલા આત્માને ખોટી મૂંઝવણ કદી થતી જ નથી. વસ્તુતત્ત્વથી અજ્ઞાત રહેલા આત્માઓ જ મૂંઝવણના નામે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy