________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ધર્મીઓ કે જેણે અનિત્ય માન્યું, તે કેવા છે ?' આવો પ્રશ્ન કરે છે ! જેને આરાધ્ય માન્યું, વાજબી માન્યું, તેની ખાતર કહેવાતી આબરૂ, પેઢી કે લક્ષ્મીની દરકાર હોય ? આજના ધર્મવિરોધીઓ તો ખુલ્લું કહે છે કે, ‘અમે તો ઊખડી ગયેલા અમે જેને અયોગ્ય માનીએ છીએ તેને ઉખેડવા તથા અમે જેને વાજબી માનીએ છીએ તેને સિદ્ધ કરવા કેટલા પ્રયત્ન કરીએ છીએ ?' એ તો એવા છે કે, એમને નાતની, સમાજની કે સંઘની કશાની જ પરવા નથી. દેશ માટે સ્વરાજ્યની લડતમાં શું છે ? ઘર જાય તો ભલે ! જેલમાં જવું પડે તો તૈયાર ! પોલીસ આવે તો ભલે આવી ! એ જ કે બીજું કાંઈ ? ભલે તેઓ ગમે તે કે ભાવનાવાળા હોય, આપણો મુદ્દો એ છે કે, ત્યાં આ દશા છે ત્યારે પ્રભુના માર્ગના સંરક્ષણ ખાતર તમારી કઈ હાલત છે ? અનિત્ય ભાવના તમારી કે કોની ? એ તો અનિત્યાદિ ભાવના સમજ્યા નથી એમ પણ કહેવાય અને ધર્મી ગણાતા આત્માઓને તો તે ભાવનાઓ પદાર્થપાઠ જેવી છે; એ ભાવનાઓનો જીવનમાં અમલ ન થાય તો સંસારનો અંત શી રીતે થાય ? પૈસા પાછળ પાગલ બનેલો, પૈસા તથા પોતાની જાત માટે ધર્મને વેચનારો વિષયનો કીડો, વિષયકષાયોમાં બંધાયેલો સંસારમાં ભટકે નહિ તો થાય શું ?- એવા પામરો માટે મુક્તિમાં સ્થાન જ નથી. શ્રી વીતરાગદેવનો માર્ગ રૂચ્યો ક્યારે કહેવાય ? રક્ષા કરે તો કે એમ જ ? પ્રભુના માર્ગના પાલન અને રક્ષણ માટે ત્યાગી પણ બનવું પડે ! પાઘડી અને કહેવાતા પોઝીશનને થોડો વખત દૂર પણ રાખવાં પડે.
સભા પાઘડી પહેરનારે પણ ધર્મ તો સાચવ્યો છે ને ?,
જરૂર, પણ તે પાઘડીમાં પોતાપણું માનીને નહિ ! મંત્રીશ્વર વસ્તુપાળ તથા તેજપાળે સ્પષ્ટ કહ્યું કે, ‘મંત્રીમુદ્રા કાલ જતી હોય તો આજ જાઓ, પણ ધર્મ ન જાઓ !' તો પરિણામે રાજા પણ નમ્યો અને રાજાને પણ એમ થયું કે, ‘આ સાચા છે.’ જે (ધર્મ)ના આટલા સેવકો હોય તે ધર્મ નિરાધાર હોય ? એકને લીધે ઘર ચાલે, ત્યારે જેના અનેક સેવક તે ધર્મની આ દશા ? લાતો ખાઈને ઘર ચલાવે. કેમ કે, મારું માન્યું અને અહીં જ બધી વાતોમાં ઉંહું ! હું તો કહું છું કે, લક્ષ્મી અસાર છે અને ચાલી જશે એટલે પછી રોતા રહેશો; એને જતી ન કરવી હોય તો પણ મમતા છોડો.
૨૦૦
260
નિમકહરામ નહિ પણ નિમકહલાલ નોકર બનો !
જેના હૈયામાંથી દુનિયાના પદાર્થોનું ‘મારાપણું' ન જાય, દુનિયાના વિષયોનો હડકવા ન જાય, તે ધર્મની સેવા શી રીતે કરે ? આ સેવા,કાંઈ સહેલી નથી. આની સેવામાં તો છોડવાનું જ છે. કમાઓ તેટલું બધું પણ છોડવું પડે ! લાભ તો મળવાનો, પણ મળે ત્યારે. પર માત્રને છોડવાની વૃત્તિ ન થાય, ત્યાં