SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ થાય ત્યાં સુધી પેટમાં પાણી પણ ન હાલે, એવા તદ્દન નિર્માલ્ય બન્યું કેમ ચાલે ? એવી નિર્માલ્યતાને જો કોઈ શાંતિ કહેતો હોય તો હું કહું છું કે, શ્રી જૈનશાસન એવી આત્મઘાતક શાંતિને શાંતિ જ માનતું નથી. ૨૩૮ 238 ગઈકાલે જે પત્રિકાની વાત થઈ હતી, તે પત્રિકામાં અનેક વાતો એવી એવી લખવામાં આવે છે કે, જેને વાંચનાર એક પણ સાચો ધર્મપ્રેમી એવો ન હોય, કે જેનું હૃદય તે વાંચવાથી ન દુભાય. આજ સુધીમાં ‘સાંજ’ વર્તમાનના અંકોમાં તે પચ્ચીસ પત્રિકાઓ છપાઈ છે, અને તેમાંની છેલ્લી પચ્ચીસમી પત્રિકા ‘સાંજ' વર્તમાનના તા. ૩૧ ડિસેમ્બર સને ૧૯૩૦ના અંકમાં છપાઈ છે. કાલની સૂચના મુજબ આજે બાપાલાલ તમારી સમક્ષ તે વાંચી સંભળાવે છે. (આ પછી બાપાલાલ ચુનીલાલ ઝવેરીએ પત્રિકાઓના અમુક-અમુક ફકરાઓ સભા સમક્ષ વાંચી સંભળાવ્યા હતા અને તે સાંભળી તેના લખનારની મનોદશા પ્રત્યે અને તેના પ્રેરક, સહાયક તથા પ્રચારક વિગેરેની આવી આત્મનાશક વલણ પ્રત્યે સભામાંથી દયામય તિરસ્કારની લાગણી પ્રગટીં નીકળી હતી. આ પછી પૂ. મહારાજશ્રીએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું હતું.) ઉપેક્ષા કરીને વિરાધક ન બનો ! આમાં શું લખવામાં આવ્યું છે, તે તો સહુએ સાંભળ્યું ને ? જે લોકો એમ કહેતા હતા કે, ‘એ ગમે તેમ કરે આપણે શું ? બેસી રહો !' એવાઓ પણ એનું આ પરિણામ નજરે જોઈ શકે એમ છે. જેઓ ના પાડતા,હતા, તેમને પણ હવે એમ થાય છે કે, ‘કંઈક કરવું જોઈએ.' જો કાંઈ ન કરવામાં આવે તો જેમ એ લોકો આવું લખીને, બોલીને કે તેની અનુમોદનાદિ કરીને વિરાધના કરે છે, તેમ આપણે પણ છતી શક્તિએ ઉપેક્ષા કરીએ તો વિરાધક બનીએ. જે શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે અને એમને જ અનુસરનારાઓએ લખેલાં છે, તેનો નાશ ક૨વાની વાતો કરવી' એ ભયંકર પાપોદયનું જ પરિણામ છે, એમાં જરા પણ શંકા નથી. આ તે શાસ્ત્ર છે કે, જે શાસ્ત્રના સહવાસથી અન્ય દર્શનના મહાપંડિતોએ પણ કુમતનો પરિત્યાગ કરી શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલા સુમતનો સ્વીકાર કર્યો છે. તમે જાણો છો કે, આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક સમર્થ વેદાંતવાદી હતા અને તેઓ આગમો પુસ્તકારૂઢ થયા પછી આ દર્શનમાં આવ્યા છે. તેઓ જાતિએ બ્રાહ્મણ હતા; ચિતોડના રાજપુરોહિત હતા; ચૌદ વિદ્યાના પારગામી હતા; અને કોઈ કાંઈ પણ બોલે અને તે જો પોતાને ૭ જુઓ : પરિશિષ્ટ-૧.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy