SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ જે દબાયેલું છે, એ પ્રગટ કરવા માટે તો મૂલગુણો તથા ઉત્તરગુણોની સેવા છે. મૂલગુણો દિવસે-દિવસે વધે, વધુ ને વધુ શુદ્ધ બને, એ માટે તો ઉત્તરગુણોની સેવા છે. મૂળગુણોની રક્ષા માટે ઉત્તરગુણોની સેવા અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મૂળગુણોની સેવા છે; મૂળગુણોની રક્ષા માટે જેમ ઉત્તરગુણોની સેવાની જરૂર છે, તેમ ઉત્તરગુણોની રક્ષા માટે દુનિયાના સઘળા પદાર્થોથી આત્માને વિરક્ત દશામાં રાખવાની જરૂર છે.. જો આત્મા દુનિયાના પદાર્થો તરફ ઢળે, તો ઉત્તરગુણો તરફ બેદરકારી થાય છે અને એ બેદરકારીથી મૂળગુણો પણ ક્રમશઃ મલિન થતા જાય છે, આથી આત્મસ્વરૂપની ખિલવણીમાં વિઘ્ન થાય છે, આ જ કારણે મૂળગુણો તથા ઉત્તરગુણોને વધારવા માટે પરિણામની ધારા દિનપ્રતિદિન વધતી જાય, એ જ શ્રીસંઘરૂપ સાગરના મોટામાં મોટા વેલાઓ છે, શ્રીસંઘમાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે જેની મૂળગુણ તથા ઉત્તરગુણ તરફ કરડી નજર હોય, જેની એવી નજર હોય, એ પોતાના જ આત્માનો વૈરી છે. મૂળગુણો પાંચ છે; સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ અને સર્વથા પરિગ્રહ વિરમણ, આ પાંચ મહાવ્રતો એ મૂળગુણો છે. જો વિચારવામાં આવે તો આ ગુણો એ આત્માનું મૂળ સ્વરૂપ છે. જે આની તરફ કરડી નજરે જુએ છે, તે પોતાના આત્માની તરફ કરડી નજરે જુએ છે. આ મૂળગુણોની રક્ષા માટે અષ્ટપ્રવચન માતા (પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ). રૂ૫ ઉત્તરગુણો છે. આ મૂળગુણો તથા ઉત્તરગુણોને સેવ્યા વિના કર્મની સત્તા દબાય નહિ. તદ્દન નિર્માલ્ય બન્યું કેમ જ ચાલે? શ્રીસંઘરૂપ સાગરમાં તો મૂળ તથા ઉત્તરગુણોને ઉદ્દેશીને દિનપ્રતિદિન વધતી જતી પરિણામની ધારારૂપ વેલાઓ વધવા જ જોઈએ. સાગર એક ક્ષણવાર પણ વેલા વિનાનો ન જ હોય. એના વેલાઓ એવા ઊછળે કે, પાસેનાને જોવાનું મન થાય. તેમ શ્રીસંઘરૂપ સાગર પણ મૂળ તથા ઉત્તરગુણો પ્રત્યેના ઉત્તમ પરિણામની ધારારૂપ મનહર વેલાઓ વિનાનો કદી પણ ન હોય. આ રીતે મૂળ તથા ઉત્તરગુણો પ્રત્યેની પરિણામધારા વધવાની જ જ્યાં વાત આવતી હોય ત્યાં એના સામે અયોગ્ય વિચાર કે કુદૃષ્ટિ કેમ કરાય ? જો એના સામે કુદૃષ્ટિ ન કરાય તો એના બતાવનાર સામે પણ કેમ કરાય ? જો એના બતાવનાર સામે ન કરાય, તો એને શાસ્ત્રમાં જેઓ ગૂંથી ગયા તેઓ સામે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy