________________
૧૯ઃ સંસાર રસિકને શાસ્ત્રો ન ગમે વીર સં. ૨૪૫, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ-૨, ગુરુવાર, તા. ૨-૧-૧૯૩૦
• શ્રીસંઘની સાગરના રૂપકથી સ્તવના : • પાંચમહાવ્રતો અને અષ્ટપ્રવચન માતા :
શાસ્ત્રોનો નાશ કરાવવાની વાત શાથી ? • આત્મા સર્વશક્તિમાન ક્યારે ? • “સોડહં' જપો, પણ ઢોંગ ન કરો : • સંસારમાં વૈરાગ્ય ન થાય, એ આશ્ચર્ય !
“સોડહં' શબ્દનો ભાવ તો સમજો ! . • ધર્મ તેના ભક્ષકનો ભક્ષક છે : ' • નાસ્તિક એ ગાળ નહિ પણ ઓળખાણ છે :
શ્રીસંઘની સાગરના રૂપકથી સ્તવના :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રીસંઘની સ્તુતિ કરી છે. શ્રીસંઘ આશ્રયરૂપ હોવાથી નગરના રૂપકથી, વિષય-કષાયરૂપ સંસારનો નાશક હોવાથી ચક્રના રૂપકથી, માર્ગગામી હોવાથી રથના રૂપકથી, લોકની મધ્યમાં રહેવા છતાં લોકધર્મથી અલિપ્ત હોવાથી કમલના રૂપકથી, સૌમ્ય હોવાથી ચંદ્રના રૂપકથી અને વિશ્વપ્રકાશક હોવાથી સૂર્યના રૂપકથી જે જે રીતે સ્તવના કરી, તે આપણે જોઈ આવ્યા અને હવે સૂત્રકાર મહર્ષિ એક ગાથા દ્વારા સાગરના રૂપકથી શ્રી સંઘની સ્તવના કરે છે. સાગરના રૂપકથી સ્તવના કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે –
ધીરજ રૂ૫ વેલા એટલે પાણીની વૃદ્ધિ, તેનાથી સહિત અને સ્વાધ્યાયયોગ રૂપ મગરથી યુક્ત તથા અક્ષોભ્ય અને વિસ્તીર્ણ એવા ભગવાન શ્રીસંઘરૂપ સમુદ્રનું ભદ્ર-કલ્યાણ થાઓ !”
સાગરમાં આમ તો અનેક વસ્તુઓ હોય છે, પણ સૂત્રકાર મહર્ષિએ સાગરની-૧. વેલા એટલે જલવૃદ્ધિ, ૨. મગર-ઉપલક્ષણથી જલચર જીવોનો સમૂહ, ૩. અક્ષુબ્ધતા અને ૪. વિસ્તીર્ણતા-આ ચાર વસ્તુઓ લીધી છે. १. "भई धिइवेलापरिगयस्स, सज्झायजोगमगरस्स । अक्खोहस्स भगवओ, संघसमुद्दस्स रुद्दस्स ।।११।।
- નંદિસૂત્ર.