________________
૨૨૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
અને મનાવવાની વાતો કરનારા શિષ્યો, એ શિષ્યો નથી પણ કુશિષ્યો છે – એમ માનવું જ જોઈએ અને એવાઓ ગુરુભક્ત તરીકેની પૂજા પામે, એ ખરેખર આ કલિકાળનો જ પ્રભાવ છે; પણ એવા દાંભિકોની પ્રભા, પ્રભુશાસનમાં તો ન જ ટકી શકે, એ સુનિશ્ચિત છે.
220
આથી જ શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલા શ્રીસંઘને સૂર્યની ઉપમા ઘટી શકે છે અને એ જ કારણે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “આ અનંતનયમય પ્રવચનથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ જ્ઞાનરૂપ સૂર્યના પ્રભાવસમૂહ સમક્ષ એક પણ કૃતીર્થિકરૂપ ગ્રહની પ્રભા ટકી શકતી નથી, તો પછી આજના ઉ ંખલ જમાનાવાદીઓની તદ્દન વિપરીત માન્યતાઓ તો શ્રી સંઘરૂપ સૂર્ય સમક્ષ ન જ ટકી શકે, એમાં શંકા જ શી ?”
શ્રીસંઘરૂપ સૂર્યની તપરૂપ કાંતિ અને જ્ઞાનરૂપ પ્રકાશ :
જેવી રીતે શ્રીસંઘરૂપ સૂર્યમાં રહેલી કુતીર્થિકો રૂપ ગ્રહોની પ્રભાનાશકતા ટીકાકાર મહર્ષિએ વર્ણવી, તેવી જ રીતે તેની કાંતિ અને પ્રકાશને વર્ણવતાં તે પુણ્યપુરુષ ફરમાવે છે કે –
“તથા તપતેજોરૂપ ઉજ્વલ ભાસ્વરતાવાળા અને વસ્તુ માત્રને પ્રકાશિત કરનાર જ્ઞાનરૂપ પ્રકાશવાળા, ઉપશમપ્રધાન શ્રીસંઘરૂપ સૂર્યનું કલ્યાણ થાઓ !”
ખરેખર, શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલા શ્રીસંઘરૂપ સૂર્યને કારણે જ આ વિશ્વમાં શાંતિ છે. જ્યાં સુધી આ સૂર્ય વિદ્યમાન છે, ત્યાં સુધી જ ભવ્ય જીવો માટે મુક્તિમાર્ગ ચાલુ છે. આ સૂર્ય જેવા શ્રીસંઘની હાજરીનો એ પ્રતાપ છે કે ઘુવડ જેવો સ્વભાવ ધરનારાઓને છૂપું છૂપું અને ગુપચુપ જીવન ગુજારવું પડે છે અને પ્રચ્છન્નપણે નાસ્તિક છતાં કર્મને માનવાના અને આસ્તિકના આડંબર કરવા પડે છે અને દેખાવમાં ‘અમે શાસ્ત્રોને અને શાસ્ત્રકારોને માનીએ છીએ' એમ કહેવું પડે છે, પાખંડીઓ ઉપર પણ આવી રીતના ઉત્કટ પ્રતાપને ધરાવતો આ શ્રીસંઘરૂપ સૂર્ય જગતમાં સદાને માટે જયવંતો વર્તો, એ જ આપણી એક અભિલાષા.
१. " तथा तपस्तेज एव दीप्ता- उज्ज्वला लेश्या - भास्वरता यस्य स तथा तस्य तपस्तेजोदीप्तलेश्यस्य, तथा ज्ञानमेवोद्योतो-वस्तुविषयः प्रकाशो यस्य स तथा तस्य ज्ञानोद्योतस्य, 'जगति' लोके 'भद्रं' कल्याणं, भवत्विति शेषः, दमः - उपशमः तत्प्रधानः सङ्घः सूर्य इव सङ्घसूर्यः, तस्य ર્મસથસૂર્યસ્થ।।"
"