SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 વાદીઓ, એટલે પરલોકને સુધારવાની ક્રિયાની જરૂ૨ નથી એમ કહેનારાઓ. શ્રી જિનેશ્વરદેવના પ્રવચનરૂપી ચંદ્રમાને ગળવામાં તત્પર હોવાથી રાહમુખા, કાળમુખા છે. તેઓથી ન ઘેરાય એવો શ્રીસંઘ તે ચંદ્રરૂપ છે. આગમનો સાર શું ? ટીકાકાર મહર્ષિ કહે છે કે, શ્રી જિનાગમ રૂપી ચંદ્રને ગળી જવા માટે પ્રયત્ન કરનારા એ રાહુસમા છે, પણ એનાથી શ્રીસંઘરૂપ ચંદ્ર ગ્રસાતો નથી. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન શું ? આગમનો સાર એ કે આશ્રવનો ત્યાગ કરવો અને સંવરનો સ્વીકાર કરવો. આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે. આશ્રવ સંસારને વધારે છે માટે હેય છે અને સંવર સંસારનો નાશ કરે છે માટે ઉપાદેય છે.' 181 ૧૮૧ અમારે તમને સંસારને વધારનારી ચીજ આપવી કે સંસારનો નાશ કરનારી ? શ્રી જિનપૂજાથી સંસારનો નાશ થાય કે બજારમાં ફરવાથી ? તપથી સંસારનો નાશ થાય કે પાટલે બેસીને પગ ઉપર પગ ચડાવી ફાવે તે વસ્તુ ખાવાથી ? પ્રાણીમાત્રની રક્ષાથી સંસારનો નાશ થાય કે જૂઠું બોલવાના ત્યાગથી ? પારકી ચીજ ન લેવાથી સંસારનો નાશ થાય કે, પારકી ચીજ પડાવી લેવાથી ? શ્રી જિનેશ્વરદેવનું આગમ સંસાર છોડાવનાર છે, એમાં શંકા છે ? નહિ જ. તો સંસાર છોડાવનારનો વિરોધ કરે એ કેવા ? સંવર સંસારનો નાશ કરે છે, તો સંવરના આરાધકો, કે જેઓ સંસાર છોડવાનું કહે અને ત્યાગની દુંદુભિ વગાડે, તેઓને જેઓ નવરા કહે, સમયના અજાણ કહે અને જમાનાને નહિ ઓળખનાર કહે, તેઓ કેવા ? એક સાધુ પાટ ઉપર બેસીને કહે કે - ‘સંસાર અસાર છે, લક્ષ્મી અનિત્ય છે, જીવન ક્ષણિક છે, આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે.’ આમાં જમાનો શો જાણવાનો ? આ સાંભળીને કોઈ પુણ્યાત્મા ત્યાગી બનવા માગે, ચારિત્ર લેવા માગે અને ચારિત્ર આપી તેને સંયમી બનાવી દેવાય, એમાં જમાનો શો જાણવાનો ? હજારો ગ્રાહકો આવે, એથી કાંઈ વેપા૨ી મૂંઝાઈ જઈને પૈસા લેવાનું ભૂલે ? નહિ, તેમ ઘણા સંસારી આત્માઓને જોઈને સંયમી પોતાનું સંયમ ભૂલે ૧. સરખાવો આવ: સર્વથા દેવઃ, પાયખ્ત સંવરઃ પ્ आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । તૃતીયમાર્તતી મુષ્ટિ-ન્યવસ્થાઃ પ્રપ~નમ્ ।। ૬ ।। શ્રી વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧૯
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy