SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 176 ૧૭૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નથી કેમકે-એ ક્રિયાવાદી છે, ભલે તેનામાં કારક સમ્યક્ત્વ નથી. રોચક સમ્યક્ત્વમાં રુચિ છે અને કારક સમ્યક્ત્વમાં અમલ છે એ બેય સમ્યષ્ટિ છે : એ બેમાં એક પણ નાસ્તિક નથી. કારકમાં તો ક્રિયા છે જ, રોચકમાં ક્રિયાની રુચિ છે. જ્યાં સુધી પરલોકને સુધારનારી ક્રિયાની રુચિ છે, ત્યાં સુધી વાંધો નથી, પણ જેને પરલોકને સુધારનારી ક્રિયા ખટકે છે, તે તો નાસ્તિક જ છે. એમાં પણ આજે વીસમી સદીમાં, કે જે વખતે ધર્મક્રિયાઓ અત્યંત આવશ્યક છે, તે જેને ખટકે છે તે તો મહાનાસ્તિક છે. ચોથા આરામાં તો એનાં ડીંડીમ વાગતાં, એથી એ ન ભુલાય અને આજે તો એ ક્રિયાઓ ભૂંસાતી જાય છે, એ વખતે ‘એ ક્રિયાની જરૂર નથી’ એમ કહેવું એના જેવી ભયંકર નાસ્તિકતા બીજી કઈ છે ? વીસ હજારની વસ્તીમાંથી બસો-પાંચસો કે હજાર મનુષ્યો પૂજા કરે એટલે સેંકડે કેટલા ટકા? જેટલા ચાંલ્લા કરે છે, તે બધાને પૂજા કરનારા કેમ મનાય ? ચાંલ્લા તો પોતાને જૈન કહેવરાવવા તથા કપાળ શોભાવવા પણ કરે. પૂર્વના કાળમાં તો છ ખંડના માલિક પણ ત્રિકાળ પૂજા કરતા અને સામાન્ય સ્થિતિના લોકો પણ પૂજા કરતા એ નજરે દેખાતું. એટલે ‘પૂજાની જરૂ૨ નથી’ એમ કોઈ કહી દે, તો પણ એને કોઈ માને કે સાંભળે તેમ ન હતું; પણ આજ એમ કહે તો છોડી દેવા ઘણા જ તૈયાર છે, કારણ કે પાપના ઉદયે ઘણા જ આત્માઓ આજે ધર્મ તરફ અરુચિવાળા થયેલા છે અને તેમાં કોઈ આસ્તિકના લેબાશમાં રહીને કે કોઈ નામધારી સાધુ કહે, પછી તો પૂછવું જ શું ? આવા ભયંકર જમાનામાં ધર્મને બાજુએ મૂકી અગર ગૌણ કરી લક્ષ્મી આદિને વધા૨વાનું કોણ કહે ? જે મૂર્ખા હોય, જેની અક્કલ ઠેકાણે ન હોય અને જેને મોહનો નશો ચઢી ગયો હોય તે જ કહે - બીજો તો કોઈ જ ન કહે. ખરેખર જે સમયે શ્રીમંતને શ્રીમંતાઈની બરદાસ ક૨વામાંથી પૂજન આદિ કરવાની ફુરસદ નથી મળતી અને શ્રીમંતાઈ વગરનાને શ્રીમંત થવાના મનોરથોમાંથી ફુરસદ નથી મળતી, એવા જમાનામાં પૂજા વગેરે ક્રિયાઓ ઢીલી પાડનારા પરમ નાસ્તિકો છે. ‘ધર્મક્રિયાઓ વિના ચાલે, પૂજા વિના ચાલે’ એવું એવું કહેનારા જૈનશાસનના ભયંકર દ્રોહીઓ છે. જે કાળમાં ધર્મક્રિયાઓનો નાશ થતો હોય, તે કાળમાં એની વધુમાં વધુ કિંમત આંકવી જોઈએ, કે જેથી દુનિયાના કલ્યાણાર્થી આત્માઓ સંસારરૂપ અટવીમાં અટવાઈ ન જાય. કેવળ પ્રત્યક્ષવાદી કેવા કહેવાય ? આ જમાનામાં હ્રદયથી ક્રિયાઓનો સ્વીકાર ન કરવા છતાં પણ જેઓ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy