SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 11 – ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 - ૧૭૧ પણ એ મૂંઝવણ ખોટી છે; કારણ કે-પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ શ્રી મલયગિરિજી મહારાજાએ, ‘મનડુપમા” આ શબ્દથી, શક્તિના અભાવે યા પ્રમાદના યોગે ધર્મક્રિયાઓને નહિ આચરી શકતા આત્માઓને બચાવી લીધા છે, એટલે મૂંઝાવાનું કશું જ કારણ નથી; માટે ખોટી મૂંઝવણમાં ન પડો. આપત્તિના પ્રસંગે અથવા તેવા પ્રકારની શક્તિના અભાવે પ્રવૃત્તિરૂપે ક્રિયાને નહિ આચરી શકનારા, હૃદયની શુદ્ધ ભાવનાપૂર્વક પણ ખુશીથી આરાધી શકે છે. - ક્રિયા, પ્રવૃત્તિરૂપે પણ હોય અને ભાવનારૂપે પણ હોય. એ ક્રિયા કદાચ પ્રવૃત્તિરૂપે ન હોય અને ભાવનારૂપે હોય, ત્યાં સુધી પણ આત્મા નાસ્તિકની કોટિમાં નથી પહોંચી જતો અને બહારથી આડંબર ખાતર કદાચ પ્રવૃત્તિરૂપે કિયા હોય અને હૃદયમાં વિરુદ્ધ ભાવ હોય, તો તે ક્રિયા કરવા છતાં પણ નાસ્તિક જ છે. એટલે હવે જેનામાં બેય રૂપે ધર્મક્રિયાઓ ન હોય, તે તો નાસ્તિક કહેવાય, એ વાતમાં કોઈ જ શંકા રહેતી નથી. કે આત્મા છે, પુણ્ય છે, પાપ છે અને પરલોક છે' - એમ મોઢે તો પ્રાય: બધા જ કહે, પણ એનો ઉદ્દેશ, એની કાર્યવાહી, એની રીતભાત, એનો ક્રિયાપ્રેમ વગેરે તો જોવાં જ જોઈએ ને? એક તરફ “આત્મા વગેરે છે' - એમ બોલે અને બીજી તરફ આત્મકલ્યાણને સાધનાની ક્રિયાઓનો વિરોધ કરે, તો તેવાઓને આસ્તિક તરીકે કેમ માની લેવાય ? હૃદયથી ન માને અને પ્રવૃત્તિમાં હોય એમ પણ બને. ભાવના કેવી છે, એ તો જ્ઞાની જાણે; આ તો બાહ્યસ્વરૂપ છે. ક્રિયા કરવા છતાંયે જે એને હૃદયથી કલ્યાણકર ન માને, તે તો નાસ્તિક જ છે. ઉત્તમ પ્રકારે સંયમ પાળવા છતાં અભવ્યો કદી મુક્તિ પામતા નથી, કેમકે-એ મહામિબાદષ્ટિ છે. એ આત્માઓ સંયમાદિનું પાલન કરવા છતાં, સંયમ આદિને મુક્તિના સાધન તરીકે માનતા જ નથી. આથી જ તેઓ ઘોર સંયમી છતાં, તેઓને મહામિથ્યાષ્ટિ તરીકે જ જાહેર કરવામાં આવે છે. - આ ઉપરથી આજે જેઓ એમ કહે છે કે – “વર્તમાન સમયમાં આ ધર્મક્રિયાઓની જરૂર નથી” - તેઓ તો નાસ્તિક તરીકે સાબિત થઈ જ જાય છે. અશક્તિ આદિના યોગે જેઓ કદી જિનપૂજન ન કરી શકે, પણ જો “શ્રી જિનપૂજન વિના આત્મકલ્યાણ નથી; આત્મકલ્યાણ માટે એના વિના છૂટકો જ નથી; હું પામર છું કે જેથી નથી કરી શકતો, પણ જ્યાં સુધી ન કરું ત્યાં સુધી શોરો પરલોક સુધરવાની આશા નથી; ઇચ્છા છે છતાં તીવ્રતા નથી જાગતી, ચોટલી જ કમનસીબી છે.” આ પ્રમાણે જેઓ માનતા હોય તેઓ આસ્તિક છે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy