________________
161 -- ૧૪ : આસ્તિક કોણ? નાસ્તિક કોણ ? -14 – ૧૭૧ ઓળખાઈ જાય છે, તેમ-પરલોકની ક્રિયાઓની અત્યારે શી જરૂર છે ? એમાં શું પડ્યું છે ?” આવું કહેવાય ત્યાં નાસ્તિકતા સ્પષ્ટ જ છે. મોઢેથી પરલોકને માનવાનું કહે અને વર્તે મરજી મુજબ, તો લોક પણ સમજે કે-જો પરલોકને માનનારા પણ આવા હોય, તો પરલોકને નહિ માનનારાની તો વાત જ શું કરવી ?
એવા અક્રિયાવાદી નાસ્તિકરૂપી રાહુ, શ્રીસંઘરૂ૫ ચંદ્રને ગ્રસિત કરી શકતા નથી, કેમકે-શ્રીસંઘ એ તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ સુંદર છાયામાં સુસ્થિર હોય છે. રાહુ જેવા અક્રિયાવાદી નાસ્તિકો શ્રીસંઘરૂપ ચંદ્રને કલંકિત કરવાના પોતાના પ્રયત્નોમાં ફાવી ન જાય, એ જ એક શુભ ઇરાદાથી શાસ્ત્રકાર મહર્ષિઓએ દર્શાવ્યા મુજબનું વસ્તુસ્વરૂપે પ્રગટ કરવામાં મોટા ચમરબંધીની પણ પરવા ન કરવી જોઈએ, કારણ કે-હિતબુદ્ધિથી સત્યનું પ્રકાશન કરવામાં જ આત્મશ્રેય સમાયેલું છે. આ સત્યવસ્તુના પ્રકાશનથી કોઈએ જરા પણ મૂંઝાવું ન જોઈએ, પણ ઊલટું શાસ્ત્રીય સત્યના શ્રવણથી જો પોતામાં કોઈ દોષ જણાઈ આવે, તો તેને દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.
જેઓમાં હૃદયના સ્વીકારપૂર્વક પરલોકની ક્રિયા ન હોય, જેઓ પરલોકની ક્રિયાઓનોં નિષેધ કરતા હોય અને જેઓ-“આ જમાનામાં પરલોકની ક્રિયાની જરૂર નથી'- એમ કહેતા હોય, તે લોકોને જ નાસ્તિક કહેવામાં આવ્યા છે અને આવે છે, જેઓની આ સ્થિતિ ન હોય તેઓને કોઈ પણ વિવેકી વક્તાએ નાસ્તિક કહ્યા નથી અને કોઈ એવા વક્તા કહેતા પણ નથી. બાકી અજ્ઞાન લોકોના ઘોંઘાટથી ગભરાઈ જઈને, શાસ્ત્રીય દત્ય કોઈનાથી પણ છુપાવી શકાય નહિ. * શાસ્ત્રમાં લખ્યું હોય એને ફેરવવાની કોઈનામાં તાકાત નથી. શાસ્ત્રમાં તો જે આવે તે જરૂ. હિતબુદ્ધિથી કહેવું જોઈએ. જેનામાં દોષ હોય તે ટોપી પહેરી લે, ત્યાં કોઈનો ઉપાય નથી. આ તો સામાન્ય વ્યાખ્યા ચાલે છે, વ્યક્તિગત કાંઈ નથી. “પરલોકને શુદ્ધ બનાવનારી ક્રિયા ન માનવાને કારણે જેના જીવનમાં તે ન હોય તે નાસ્તિક' - એવા ટીકાકાર મહર્ષિના ખુલાસાથી વસ્તુ તદ્દન સ્પષ્ટ થાય છે. “આત્મા, પરલોક તથા પુણ્ય-પાપ' વિગેરેને નહિ માનનારા ખુલ્લા નાસ્તિકો શ્રીસંઘરૂપ ચંદ્રને કલંક લગાડી શકતા નથી, કેમકે-એ તો દૂર છે, એવાઓને તો કોઈ સાંભળતું જ નથી; પણ ખરો ભય જ તે લોકોનો છે, કે જેઓ “અમે આત્માદિને માનીએ છીએ-એમ કહેવા છતાં પણ નાસ્તિકને સારા કહેવડાવે તેવું વર્તન કરે છે.