SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પછી, કોણ એવો કમનસીબ આત્મા હોય, કે જે રત્નત્રયી સિવાય અન્ય નાશવંત વસ્તુની ઉપાસનામાં પોતાના અમૂલ્ય જીવનને બરબાદ કરે ? 154 આ વિશ્વમાં જેમ હીણાચારી અને અનાચારી આત્માઓને ચંદ્રમા ત્રાસરૂપ લાગે છે, તેમ આ શ્રીસંઘરૂપ ચંદ્ર પણ શાસનમાં રહેલા સ્વેચ્છાચારીઓને ત્રાસરૂપ જ લાગે છે. જેમ ચંદ્રનું લાંછન-ચિહ્ન હરણ છે, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રનું લાંછન-ચિહ્ન તપ અને સંયમ છે. જેમ ચંદ્રનું ચિહ્ન દરેક દેખનારાની દૃષ્ટિમાં આવે, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રનું તપ અને સંયમરૂપ ચિહ્ન પણ દૃષ્ટિમાં આવવું જ જોઈએ. ચંદ્રમાં પણ તપ અને સંયમ દેખાય જ. ચંદ્રમાને ગમે તે દિશામાંથી જુઓ તો પણ તેનું ચિહ્ન દેખાય; પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં કે કોઈપણ ખૂણામાં ઊભો રહેનાર પણ તેના ચિહ્નને જુએ; તે જ રીતે શ્રીસંઘનું ચિહ્ન તપ અને સંયમ, સંઘને ગમે તે બાજુથી ગમે તે રીતે જુઓ તો પણ દેખાય જ. તપ અને સંયમ, એ સંઘને સંઘ તરીકે ઓળખાવનારૂં ચિહ્ન છે. આથી સ્પષ્ટ છે કે-તપ અને સંયમનો નાશ કરવાનો પ્રયત્ન કરનારો સમુદાય સંઘ નથી, પણ શ્રીસંઘરૂપ ચંદ્રની સાથે ફરતો તે રાહુ છે અને તે રંગે કાળો છે. ચંદ્રની ઉપર રાહુ આખો આડો આવે ત્યારે હિંદુઓ દુઃખી થાય છે, એ રીતે શ્રીસંઘરૂપ ચંદ્રને પણ આ રાહુ ગ્રસે, તો આપણે પણ દુ:ખી જ થવું પડે ! એવો ટાઇમ ન આવે માટે જેમ બને તેમ રાહુને ધક્કો મારીને આઘે જ કાઢવો જોઈએ. એ રાહુ ભયંકર છે. શ્રીસંઘમાં ૨હેવાનો આડંબર કરવા છતાં - ‘રાતે ખાવાથી મુક્તિ અટકતી નથી, દરેક વાતમાં પાપ પાપ કરવું એ પાલવે નહિ' - આ પ્રમાણે બોલનારા રાહુ જેવા છે. આવાઓ શ્રીસંઘમાં રહી શકતા જ નથી. પાપની ક્રિયાઓને પણ પુણ્યક્રિયા રૂપ મનાવનારા શ્રી જૈનશાસનમાં રહેવા લાયક નથી જ. પરલોકનું હિત કરનારી ક્રિયાઓનો વિરોધ કરનારા શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવાને લાયક નથી. એટલું જ નહિ પરંતુ ઇતર આસ્તિક દર્શનમાં પણ રહેવાને લાયક નથી. કારણ કે આર્ય જનતા માટે અસ્પૃશ્ય વ્યક્તિઓ જેવા છે; તેવાઓનો સંસર્ગ પણ પાપજનક છે. ધર્મ માટે કરાતાં ધનવ્યયને ધુમાડો કોણ કહે ? શ્રી જિનેશ્વરદેવના વચનથી સુવાસિત થયેલો આત્મા તો પરલોકની સાધનામાં રક્ત જ હોય અને તેની સાધના માટે આગમ તરફ જ તેની દૃષ્ટિ હોય. આગમસિદ્ધ કોઈ પણ અનુષ્ઠાન તરફ તેનો વિપરીત ભાવ હોય જ નહિ; તેની આવશ્યકતાનો ઇન્કાર તે કદી પણ કરે જ નહિ. પરલોકને સુધારનારી
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy