________________
૧૩ : આજ્ઞાનો આરાધક સંઘ - 13
૧૫૩
શુદ્ધ મુનિપણું પાળી શકતો ન હોય, પણ કહેતો હોય કે-‘તેવું પાળવાની મારી શક્તિ નથી, હું તો શિથિલ છું અને સાચા મુનિ તો તે છે કે - જે શુદ્ધ સંયમના પાલક છે' તો તે પણ આજ્ઞાના વિરાધક નથી કિંતુ આરાધક છે.”
153
આથી સ્પષ્ટ જ છે કે - શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યનું આજ્ઞારૂપી તેજ ઝળકે, ત્યાં સુધી જ શ્રીસંઘરૂપ કમળ ખીલે, પત્તાં હોય અને ભમરા ગુંજે. સૂર્યાસ્ત થાય ત્યારે તો કમળ બિડાય, પત્તાં પણ કરમાય અને ભમરા પણ ન ગુંજે. આથી આજ્ઞામાં અખંડ રહેવાજોગી સ્થિતિ તમે અને અમે કેળવી શકીએ, તો જ આપણે પરમપુણ્યના યોગે મળેલા શ્રી જિનેશ્વરદેવના શાસનને આરાધી શકીએ, અન્યથા તો નહિ જ. બાકી એ તો સુનિશ્ચિત જ છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો વિરોધ કરનારાઓને અને પોતાના સ્વાર્થ માટે મહાપુરુષોને પણ કલંક લગાડવાના પ્રયત્ન કરનારાઓને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બિલકુલ સ્થાન નથી; માટે એવાઓની વાજાળમાં ફસી ન જવાય, તેની પૂરતી કાળજી રાખવાની જરૂર છે.
શ્રીસંઘની ચંદ્રના રૂપકથી સ્તવના
હવે સૂત્રકાર મહર્ષિ શ્રીસંઘની ચંદ્રના રૂપકથી સ્તવના કરતાં લખે છે :
“તપ અને સંયમરૂપ હરણના લાંછનવાળા, નાસ્તિકોરૂપી રાહુથી પરાભવને નહિ પામવાવાળા અને નિર્મળ સમ્યક્ત્વરૂપ વિશુદ્ધ જ્યોત્સ્નાને ધરવાવાળા, હે શ્રીસંઘરૂપ ચંદ્ર ! તારો જય થાઓ !”
+
આ રૂપકમાં ત્રણ વસ્તુથી કેવું સુંદર વસ્તુવર્ણન ક૨વામાં આવ્યું છે ! શ્રી જિનેશ્વરદેવનો જે સંઘ છે ‘એને ઓળખવાનું ચિહ્ન શું ? શ્રી જિનેશ્વરદેવનો સંઘ'નાસ્તિકોની સમક્ષ કેવી રીતે અડગ રહે ? અને જગતમાં તે કેવી જ્યોત્સ્ના
ફેલાવે ?’ - આ ત્રણે પ્રશ્નોનો સચોટ ઉત્તર આ રૂપકમાંથી મળી રહે છે.
શ્રી જિનેશ્વરદેવનો સંઘ, જગતની સપાટી ઉપર તપ અને સંયમથી જ પ્રસિદ્ધિમાં આવે; નાસ્તિકોની સામે તો તે એવો અડગ રહે કે-નાસ્તિકોને તેનાથી દૂર જ રહેવું પડે અને તેના ક્રિયાવાદના નિરૂપણથી પ્રચ્છન્ન નાસ્તિકોના તો તેની સામે ફુરચા જ ઊડી જાય; તથા તેની નિર્મળ સમ્યક્ત્વરૂપ વિશુદ્ધ જ્યોત્સ્નાથી સંસારની અસારતા, સંયમની સુંદરતા અને સિદ્ધિપદની જ એક સાધ્યતા પ્રકાશિત થયા વિના રહે જ નહિ. આ વસ્તુવર્ણનને સમજ્યા
+ “તવ-સંનમમવાંછળ ! અભિરિવરાહુમુલુદ્ધતિ નિષ્યં। નવ સંઘચંદ્ર ! નિમ્મત-સમ્મત્ત વિસુદ્ધોન્હા ।।।।"