SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 17 – ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 - ૧૧૭ વેચાશે. હીરાનો ઢગલો અલગ થાય, તો પછી કોઈને કહેવા નહિ જવું પડે; બધી સીધા અહીં જ આવવાના. આખીયે દુનિયાને હીરા જોઈએ છે. એ ઢગલો અલગ થયા પછી, નાનો હશે છતાં પણ બધા ત્યાં આવશે. તેજનો પ્રકાશ જરૂર પડશે જ ! યોગ્યતા-અયોગ્યતાનું માપ શાસ્ત્ર કહે તેમ નક્કી કરવાનું કે તમે માનો તેમ નક્કી કરવાનું? દરદી માત્ર અયોગ્ય નથી. અસાધ્ય વ્યાધિવાળા દર્દી માટે દેવા ન હોય એ બને, પણ જેને ત્યાં દર્દી માત્ર માટે દવા ન હોય, એ વૈદ્ય જ નથી. જે ધર્મશાસન પાપીનો ઉદ્ધાર ન કરી શકે એ શાસન ધર્મશાસન નથી. જેટલા તર્યા તે બધા પહેલાં તો પાપી હતા ને ? સમ્યગ્દષ્ટિ બધાએ પહેલાં મિથ્યાત્વી હતા, વિરતિધર બધાયે અવિરતિમાં હતા. તમામ ક્ષમાશીલ પહેલાં તો ક્રોધી જ હતા ! જેમ રોગ અસાધ્ય ન હોવા છતાં દર્દીને ઔષધની ના પાડનાર એ વૈદ્ય જ નથી. તેમ થોડો પણ દોષ હોવા માત્રથી ધર્મ કરવા ઇચ્છનારને ધર્મ માટે અયોગ્ય માને એ સંઘ જ નથી. જેને વ્યાધિ કાઢવો ન હોય એની વાત જુદી, પણ ઇચ્છા હોય એને વૈદ્ય ના કહે ? એ જ રીતે ગમે તેવા ગુન્હેગારને પણ બચવાની ભાવના થઈ, તો શ્રીસંઘ બચાવે. આ સ્થિતિ આવે તો જે ઘોંઘાટ આજે છે તે હોય ? શ્રીસંઘ જો આ રીતે વિર્તે, તો આત્મા ચડે કે પડે ? ચડવાની ભાવનાવાળા તો ચડે, પણ પડવાની ભાવનાવાળાઓ પણ આનાથી ચડે ! સંઘ અને સાધુની પરીક્ષા કરતાં શીખો: શાહુકાર વેપારીની રીતભાત એવી જ હોય કે-ગ્રાહક ઉઠાવગીર વેપારીને ઓળખી જ લે. બજારમાં ઠામ ઠામ બોર્ડો તો મજેનાં હોય છે. “એક જ ભાવ, કિફાયત ભાવ, ઉત્તમ માલ- આવાં બોર્ડો તો બધે હોય છે, પણ એથી ગ્રાહક બધા ફસાતા નથી. મૂર્ખ ફસાય ત્યાં એનું ભાગ્ય. બીજું થાય પણ શું? ગ્રાહકે ખરીદીનો અભ્યાસ કરવો પડે છે. શાક લાવતાંયે શીખવું પડે છે. એટલુંયે ન આવડે તો રખડી મરે. ગ્રાહક આંખો મીંચીને જ લે અને હીરા જ આવે એ ન બને. તેથી જેઓ અહીં આવે છે તેઓને વાકેફ કરવા માગીએ છીએ કે-શ્રીસંઘનું સ્વરૂપ આવું હોય. * શ્રીસંઘના નામે જો નાદાનના શરણે જવાય તો લોક હસે. આપણી બુદ્ધિની . કિંમત કરે-આવા ટોળાને શરણે આવા ડાહ્યાઓ કેમ જાય છે ?' જેને સંયમની જરૂર નથી, જેને શાસ્ત્રની ખબર નથી. એવા ટોળાને શરણે થવાય તો ઇતર પણ કે આપણને ગાંડા કહે. આ ભેદ ભાંગવા માટે શ્રીસંઘનું સ્વરૂપ સમજાવવા માંડ્યું છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy