________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
બજાવરાવે; પોતે એના સાથી થાય. આવા માણસો શાસનના રસિયા ! આવાઓ શ્રી જિનેશ્વરદેવના સંઘમાં !
૧૦૪
શ્રી તીર્થંકરદેવની ઉપકારપરાયણતા જાણો છે ? ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે-‘ખેડૂત શ્રી ગૌતમ મહારાજથી સમ્યક્ત્વ પામશે અને આ રજોહરણ પણ પામશે તથા અહીં આવીને મને ન દેખે ત્યાં સુધી જ રાખશે, પછી મૂકી દેવાનો છે'-તો પણ ઓઘો આપવા શ્રી ગૌતમ મહારાજને
મોકલ્યા. ×
104
આજ તો ચડીને કોઈ આત્મા પડે તો ઢોલ બજાવે અને કહે કે-‘અયોગ્ય દીક્ષાનાં આ પરિણામ !' કેવી અજ્ઞાનતા ! હું કહું છું કે-જ્ઞાનીના હાથે દીક્ષિત થયેલ પણ કર્મના યોગે પતિત થયેલા-તેઓએ જે અનર્થ કર્યો છે, તેવો વર્તમાનમાં તો કોઈએ નથી કર્યો. ટેંકને ઉન્માર્ગે દોર્યા, કુમતોની જડ રોપી, એવો તો આજ કોઈ નથી થયો ને ? માટે હું કહું છું કે-સંઘ બનવું હોય તો ડાહ્યા બનો, સમજુ બનો, પછી સંઘ થાઓ, તો બધા આજ્ઞા માને. સંઘ બનશો તો પછી સાધુ ઉપર આજ્ઞા કરવાના કોડ નહિ થાય. સુપુત્રને બાપ ઉપર હુકમ કરવાનું મન થાય ? નહિ જ. બાપ ધોલ મારે ત્યારે જો બહુ દુઃખ થાય તો સુપુત્ર ખૂણે જઈને રૂએ, પણ બહાર જઈને બાપને અયોગ્ય ન કહે. સપૂતપણું જાગ્રત થાય, ત્યાં તારક સામે હુકમ કરવાનું મન ન થાય એટલું જ નહિ પણ એવી ભાવના પણ ન આવે.
શ્રીસંઘ સંસારરૂપ અરણ્યમાંથી ઉપાડીને મોક્ષમાં લઈ જવા માટે રથ સમાન છે. આપત્તિ ટાળીને પણ શ્રીસંઘ પ્રભુના માર્ગે સ્થાપન ક૨ના૨ છે. શ્રીસંઘની ભાવના એવી હોવી ઘટે કે-પોતાથી ન જઈ શકાય તો ફેંકને મોકલીએ તો પણ કો’ક દિવસ આપણું પણ ઠેકાણું પડશે. શ્રીસંઘની આવી ઉમદા વૃત્તિ હોય. ઉપકારપરાયણતાનું ઉત્તમ ઉદાહરણ :
પરમ ઉપકારી શ્રી સ્કંદસૂરીશ્વરજીએ, ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે, પોતાની ભિંગની પુરંદરયશા તથા તેના પરિવારને બોધ આપવા, ‘કુંભકારકટ’ નામના નગર તરફ જવા માટે આજ્ઞા માગી.
× જુઓ ત્રિ. શ. પુ. ચ. પર્વ-૧૦, સર્ગ ૯ શ્લોક-૧ થી ૨૦.
+ पुरन्दरयशोमुख्य लोकं बोधयितुं पुरे ।
મ્મારજ્યે યામી-ચાપ્રપલ્ઝે સ = પ્રમુમ્ ।।રૂ૪રૂ।। उवाच प्रभुरप्येवं, तत्र ते मारणान्तिकः ।
गतस्य सपरिवार - स्योपसगों भविष्यति ।। ३४४ ।।
वयमाराधकास्तत्र, भाविनो वा न वेत्यथ ।
भूयोऽपि स्कन्दकोऽपृच्छत् स्वामिनं मुनिसुव्रतम् ।।३४५ ।।