________________
૧૦૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
અપાય.' સંયમી દેવાદાર છે, એ જાણ્યા પછી બીજાને જાણવા દેવાય ? ‘આપનારા જીવતા છીએ' - એમ કહેવું જોઈએ. શ્રીસંઘની ફરજ તો દાંડી પીટીને પણ સંયમના અર્થીને સંયમ લેવા તૈયાર કરવાની છે અને બધી જોખમદારી સંઘે પોતે ઉઠાવી લેવી જોઈએ.
102
*શ્રી કૃષ્ણ મહારાજાએ એ જ રીતની ઉદ્ઘોષણા કરાવી અનેક આત્માઓને સંયમધર બનાવ્યા હતા. સંયમ પ્રત્યે એ પ્રકારની ભાવના જે ધરાવે, તે શ્રીસંઘ, આજે તો દીક્ષિતની પાછળ કોઈ પાંચ-પચીસ દઈને કહે કે‘અમે કહેતા હતા ને !' આવા પોતાની જાતને શ્રીસંઘ તરીકે ઓળખાવવા માગે એ ચાલે ?
પૂર્વે એક રાજાની રાણી ગર્ભવતી હતી. તેણીએ ‘ગર્ભની વાત છુપાવીંને દીક્ષા લીધી હતી. એ જાણો છો ને ?’
વૈરાગ્યનું સ્વરૂપ જાણનારા તો આ વાત ઘણી જ સારી રીતે જાણી શકે તેમ છે, પણ વૈરાગ્યની ગંધને પણ નહિ પામેલા વૈરાગ્યના સંબંધમાં ટીકા કરવા ઊભા થાય, એ એક જાતની ઉન્મત્તાવસ્થા છે.
ગર્ભની વાત ગુરુણીએ જાણી અને પૂછ્યું ત્યારે ઉત્તરમાં એ રાણી સાધ્વીએ સ્પષ્ટ જણાવ્યું કે, ‘દીક્ષા ન આપો એ કારણે વાત કરી ન હતી.’
ગુરુણીએ શય્યાતરને વાત કરી : સાધુઓને રહેવા માટે વસતિ-મકાન આપનાર, જૈન શાસ્ત્રમાં ‘શય્યાતર' તરીકે ઓળખાય છે. શય્યા દ્વારા જે સંસાર-સાગરને તરે, તે ‘શય્યાતર’ કહેવાય છે.
તે વસ્તુતત્ત્વના જ્ઞાતા શય્યાતરે પાડોશી પણ ન જાણે તે રીતે સઘળી કાર્યવાહી કરી અને સંયમધરને આંચ ન આવવા દીધી.
આજ તો બનાવટી તુક્કા ઊભા કરી જાહેર કરવામાં આવે છે કે“સાધ્વીએ ગર્ભ ધારણ કર્યો અને સાધુ આવા નીકળ્યા.” હું કહું છું કે-આવાં કલ્પિત ગપ્પાં ઊભાં કરી અને ફેલાવીને, જૈનશાસનને અને પરમ પવિત્ર સાધુસંસ્થાને કલંકિત કરવાના કૂટ પ્રયત્ન કરનાર પાપાત્માઓને, શ્રીસંઘમાં રહેવાનો હક્ક તો નથી જ પણ સજ્જન દુનિયામાં પણ રહેવાનો હક્ક નથી. + न श्रामण्यक्षमोऽस्मीश, तथापि नियमोऽस्तु मे ।
અન્વર્ગાવિતું દીક્ષાં, તથા તાનનુમોદ્દિતુમ્ ।।૨૨।। प्रव्रजिष्यति यः कश्चिद् वारयिष्याम्यहं न तम् । पुत्रस्येव करिष्ये च तस्य निष्कमणोत्सवम् ।।२१३ । ।
- ત્રિ. શ. પુ. ચ. પર્વ: ૮, સર્ગ-૧૦