SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 03 – ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 – ૯૩ આકર્ષે, વાતો-વિચારો અને ચિંતા પણ શ્રુતજ્ઞાનરૂપી લક્ષ્મીની જ હોય. જે નગરની શેરીઓ પણ સંસારની અસારતાનું ભાન કરાવતી હોય અને જે નગરના રક્ષણનો બોજો સામ્રાજ્યની માફક વ્યાપીને રહેલા અખંડ ચારિત્રરૂપ કિલ્લા ઉપર હોય, તે શ્રીસંઘરૂ૫ નગરનું રક્ષણ માગનાર ધર્માત્માને વિષયકષાય રૂપ સંસારને છેદવાની જ ભાવના હોય. સંસારમાં રહેવાની તથા સંસારને પોષવાની ભાવનાવાળાને શ્રીસંઘરૂપ નગરમાં સ્થાન પણ નથી. ધર્માર્થીને શ્રીસંઘ, એ નગરરૂપ બની જેમ સ્થાન આપે, તેમ વિષયકષાય રૂપ સંસારને છેદવાના કાર્યમાં પણ સહાય આપવા માટે શ્રીસંઘ ચક્ર બને. સંસારને છેદવાની ક્રિયામાં શ્રીસંઘ આડો ન આવે. શ્રીસંઘરૂપ ચક્રને સત્તર પ્રકારના સંયમરૂપ તુંબ હોય, બાર પ્રકારના તપ રૂપ આરા હોય અને સમ્યગુદર્શન રૂપ પૃષ્ઠ ભાગની ભૂમિ હોય. શ્રી તીર્થંકરદેવ પછી પૂજ્ય શ્રીસંઘ તે આ-જેને આશ્રવથી વિરામ પામવું ન ગમે, જેને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ ન રૂચે, જેને કષાયો કમી કરવા ન ગમે અને જેને મન-વચન અને કાયા ઉપર અંકુશ મૂકવો ન ગમે, એવા સંઘને તીર્થકર જેવો પૂજ્ય માનવો-એના જેવી અજ્ઞાનતા બીજી કોઈ નથી, એટલું જ નહિ પણ એવા સંઘને માનનારા, શ્રી તીર્થંકરદેવનું ભયંકર અપમાન કરનારા છે. કેમકે-એથી જનતા પણ એમ જાણે કે-એમનાં તીર્થકર પણ આવા જ હશે. આપણે એવી ભાવના ઉત્પન્ન થવા દેવી નથી; એટલું જ નહિ પણ એવી ભાવના થાય અને આપણે મૌન રહીએ તો દોષિત ઠરીએ. ગોશાળાએ મુનિઓ પર તેજોલેશ્યા મૂકતી વખતે કહ્યું હતું કે જો મારા ધર્માચાર્યનું તેજ હો, તો આ મકાન બળી જાઓ!” ત્યારે મુનિઓએ કહ્યું હતું કેજેવો તું છે, તેવો તારો ધર્માચાર્ય હશે !'- આવી જ રીતે મરજી મુજબ રખડતા ટોળાને જો સંઘ મનાય, તો જનતા પણ માને કે-“એમના તીર્થકર પણ એવા જ હશે. પાંચ-પચ્ચીસનું એક ટોળું, કે જેની અક્કલ ઠેકાણે નથી, જેનામાં બુદ્ધિપૂર્વક વિચાર કરવાની તાકાત નથી, જેને આત્માના હિતાહિતની ગમ નથી અને જે ટોળું નશાબાજની માફક ઉન્માર્ગે ચાલનારું અને યુદ્ધાતલ્લા બોલનારું છે, તેને જ જો શ્રી તીર્થકરવત્ પૂજ્ય માનીએ, તો તો આત્માનું અહિત થવા સાથે, અજ્ઞાન લોક પણ ઉન્માર્ગે ન દોરાય. શ્રી તીર્થંકરદેવ જેવા સંઘનો સમુદાય જ્યાં એકત્રિત થાય, ત્યાં સંયમના ઝરા છૂટે કે પાપના ? એ સમુદાય સંયમનો પોષક હોય કે અસંયમનો ? સમુદાયની મહત્તા સાચવવા જતાં પરમતારક શ્રી તીર્થંકરદેવોનો મહિમા ન ઘટી
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy