________________
કન – ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે? 8 – ૮૧ પણ વાઘ પાછળ પડ્યો છે.” તોયે આ કહે કે “પણ અમારો તો આ કાયદો.” આવો કાયદો કરનારા સંઘમાં ગણાય કે સંઘ બહાર ગણાય? મરવા પડેલાની રક્ષા માટે બાપની આજ્ઞા લેવા જવાનું વિધાન આ શાસનમાં નથી. વ્યવહારમાં પણ તેવું નથી.
બાપ પણ દુનિયામાં ક્યાં એક પ્રકારના છે ? ઇરાદાપૂર્વક મારી નંખાવનારા પણ બાપ હોય છે. મરતા દીકરાની ઉપેક્ષા કરનારા, દીકરાને ભીખ માંગતો બનાવનારા, પોતાના સ્વાર્થ માટે બાળકનું સત્યાનાશ વાળનારા પણ બાપ હોય છે. સાપણ પણ એનાં બચ્ચાંની માતા જ છે ને ? પણ એ પોતાનાં બચ્ચાંને જ ખાઈ જાય. આથી જન્મતાંની સાથે જ એ બચ્ચાં ભાગે છે. એ આજ્ઞાભંજક ખરાં ? સાપણ બાળકને જન્મ આપે ત્યારે બધાં બચ્ચાં ભાગવા માંડે. ભાગે તે જ બચે. જે ત્યાં રહે તેને તો તે ખાઈ જાય. માની સોડમાં પેસે એ મરે.
* - જ્યાં સાપણ જેવા સ્વભાવવાળા માબાપ હોય ત્યાં આજ્ઞા લેવા જવાનું કહેવાય ? પેલો બાળક કહે કે-“આજ્ઞા લેવા જાઉં તો ત્યાં જ રહું.” ત્યારે આ કહે કે – “એ ગમે તેમ પણ અમારો તો એ કાયદો છે, એ ન તોડાય ! આવો કાયદો કરનારા અજ્ઞાનશિરોમણિ છે. સર્વજ્ઞના શાસનનો આ કાયદો હોય ? હોય જ નહિ! આજ્ઞાનો આવો અર્થ કરનારા અજ્ઞાન છે, પામરો છે, એ પામરો આજ્ઞાનું સ્વરૂપ સમજતા નથી. શરણ કોને અપાય? : “જેને મારતાં દયા ન આવે એવા સાપણ જેવા સ્વભાવવાળાં માતાપિતા રજા આપે તો જ રક્ષણ અપાય નહિ તો ભલે મરે” - આવો કાયદો કરનારા, આવું કહેનારા ઉપકારી છે કે ઉપકારીના વેષમાં રખડતા અણસમજુ વૈરીઓ છે? શ્રી જિનેશ્વરદેવે કરેલી આજ્ઞાનો આવો ભયંકર અર્થ કરાય ? શ્રી જિનેશ્વરદેવનાં શાસનમાં આજ્ઞા માનવાની જે વાત છે તેનો આવો અર્થ કરે કે - “સાપણ જેવાં માબાપના બાળકને આજ્ઞા વગર રક્ષણ ન જ દેવું.” - તો તો કોઈને રક્ષણ જ નહિ અપાય. ધર્મીને રક્ષણ દેવાની શ્રીસંઘની ફરજ છે કે નહિ ? છે જ, કારણકે-શ્રીસંઘ ધર્માનો અને ધર્માર્થીનો રક્ષક છે. અધર્મીના પંજામાંથી છોડાવે તે શ્રીસંઘ છે પણ અધર્મીના હાથમાં ધર્માત્માને આપે એ શ્રીસંઘ નથી. પોતાના શરણાગતને દુશ્મનના હાથમાં સોંપે એ ક્ષત્રિય નથી. ચેડા મહારાજા શા માટે લડ્યા? એમણે યુદ્ધ રાજ્ય માટે કર્યું? માનપાન માટે કર્યું? નહિ જ, શરણાગતને દુશ્મનના હાથમાં ન સોંપાય તે માટે કર્યું. એની ખાતર