________________
80
૮૦
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - સાચવવાની તો શ્રીસંઘની ફરજ છે. આખા નગરનો રક્ષક તો એ કિલ્લો છે. એ નગરમાં રસ્તા અનેક છે, મકાનો પણ પુષ્કળ છે અને શ્રુતરત્નરૂપ લક્ષ્મી પણ અઢળક છે, શ્રીસંઘ નગરના આશ્રિતને શ્રીસંઘ નગર આ બધું પૂરું પાડે, ન હોય એને આપે, જેની પાસે હોય તેને ખીલવે અને એને જો કોઈ બહારથી લૂંટવા આવે તો શ્રીસંઘ એને રક્ષણ આપે.
“અહીં ધરમબરમની વાત ન કરવી, ચારિત્રની વાયડી વાતો અહીં નહિ ચાલે, ચોવીસસો વર્ષ પહેલાંનું શ્રુતજ્ઞાન આજે ઉપયોગી નથી, ઝીણી વાતો આજે કરવી નકામી છે.” - આવો ઘોંઘાટ શ્રીસંઘરૂપ નગરમાં ન જ હોય. નગર કોને કહેવાય? જેમાં શાહુકાર વસે છે કે માત્ર લૂંટારા જ વસે છે ? લૂંટારા વધે, બધા જ લૂંટારા બને, તો તો એ નગર નગર મટી જાય અને ચોરની પલ્લી તરીકે ઓળખાય. વસ્તુના રૂપકને જો બરાબર સમજીએ, તો આપણી ફરજ સમજાય.
કોઈને તકલીફ ન પડે અને વિશ્રાંતિથી રહેવાનું સ્થાન મળે, એને નગર કહેવાય. હવે ધર્મી કોણ કહેવાય ? સંસાર તજવાની ભાવના વગરનો એ ધર્મી ? કેવલ દુનિયાના પદાર્થો જ મેળવવાની ભાવનાવાળો ધર્મી ? વસ્તુત: એ ધર્મી જ નથી. જે ધર્માને શ્રીસંઘરૂપ નગર સ્થાન આપે, તે ધર્મ વિષયકષાયરૂપ સંસારને છેદવાવાળો હોય. ન છેદી શકાય તો પણ છેદવાની ભાવનાવાળો તો હોય જ ! જેનામાં એ ભાવના પણ ન હોય, તેને શ્રીસંઘરૂપ નગરમાં સ્થાન શી રીતે મળે ? એ તો જ્યાં-ત્યાં રખડ્યા કરે. રખડપટ્ટી માટે ક્ષેત્ર બહોળું છે. ચોરાશી લાખ જીવયોનિ છે. જેને સંસારનો ભય લાગ્યો હોય તે અહીં આવે : જેને સંસારમાં મ્હાલવું હોય તેનું અહીં કામ પણ શું ? નકામો ડખો શા માટે ? શાહુકારે સાફ દેવું જોઈએ કે-લૂંટારાને માટે અમારી પાસે સ્થાન નથી : નીતિપૂર્વક શાહુકારીથી રળી ખાવું હોય તો જ અહીં સ્થાન છે ! શરણે આવેલાને શરણ આપે તે શ્રીસંઘ છે?
સંસારને છેદવાની ઇચ્છાવાળો શ્રીસંઘનગરમાં વસવા આવે : જેને ન છેદવો હોય તે ભલે બહાર રહે ! જે સંસારથી ભય પામે તે અહીં આવે : ભય પામીને આવેલાને શ્રીસંઘરૂપ નગર જરૂર રક્ષણ આપે. જંગલમાંથી એક ભીલનું છોકરું, જંગલી જનાવરથી ભય પામીને નાઠું. માનો કે એની પાછળ વાઘ પડ્યો છે અને દોડ્યું. દોડતું દોડતું એ નગરના દરવાજે આવ્યું. ત્યારે શ્રીસંઘ એને અંદર પેસવા દે કે બાપની આજ્ઞા લેવા મોકલે ? “જા, તારા બાપની રજા લાવ, રજા વગર દાખલ ન કરવાનો અમારો કાયદો છે.' પેલો કહે કે