________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર સામાન્યાભાવ છે. જે અભાવની પ્રતિયોગિતા સામાન્ય ધર્મથી અવચ્છિન્ન હોય તે અભાવને જ સામાન્યાભાવ કહેવામાં આવે છે. તેથી ‘પટ નથી’ એ જ્ઞાનનો વિષય જે અભાવ છે તે સામાન્યાભાવ છે. ત્રિવિધ સંસર્ગાભાવમાંથી એકલો અત્યન્તાભાવ જ સામાન્યાભાવ હોઈ શકે છે. જેમ અત્યન્તાભાવ સામાન્યાભાવ છે તેમ પ્રાગભાવ સામાન્યાભાવ નથી. જો કહેવામાં આવે કે પ્રાગભાવ પણ સામાન્યાભાવ બને તો એમાં શું દોષ છે ?, પ્રાગભાવની પ્રતિયોગિતા પણ સામાન્ય ધર્મથી અવચ્છિન્ન હો, તો ઉત્તરમાં કહેવું જોઈએ કે પ્રાગભાવ સામાન્યાભાવ બની શકતો નથી કારણ કે પ્રતિયોગીના જનક અભાવને જ પ્રાગભાવ કહેવામાં આવે છે. પટપ્રાગભાવ પટનો જનક છે. જો પ્રાગભાવ સામાન્યાભાવ હોય તો તે પ્રાગભાંવ કોનો જ્નક બનશે ? પટપ્રાગભાવ પટવ્યક્તિનો જનક બનરો કે પટસામાન્યનો જનક બનશે ? પટવ્યક્તિ સિવાય પટસામાન્યરૂપ કોઈ પ્રતિયોગી પ્રસિદ્ધ નથી કે જેનો જનક પ્રાગભાવ ખની શકે. પટવ્યક્તિ વિશેષ વિશેષ પ્રાગભાવથી જન્ય છે. અર્થાત્ ત પટપ્રાગભાવ તત્પટનો જનક છે, અપર પટનો પ્રાગભાવ અપર પઢનો જનક છે. વ્યક્તિવિશેષનો પ્રાગભાવ વ્યક્તિવિરોષનો જનક છે. પરંતુ જો પ્રાગભાવ સામાન્યાભાવ હોય તો તે પ્રાગભાવ કયા પ્રતિયોગીનો જનક બનરો ?
૯૪
વળી, એમ પણ ન કહી રશકાય કે વિશેષાભાવરૂપ પ્રાગભાવ પ્રતિયોગીનો જનક હોવા છતાં સામાન્યાભાવરૂપ પ્રાગભાવ પ્રતિયોગીનો જનક નથી. આના ઉત્તરમાં કહેવું જોઈએ કે પ્રાગભાવ અવશ્ય પ્રતિયોગીનો જનક હોય છે. પ્રાગભાવવાદીના સિદ્ધાન્તમાં પ્રાગભાવત્વ ધર્મ પ્રતિયોગિજનસ્ત્ય ધર્મનો વ્યાપ્ય છે. જેમાં પ્રતિયોગિજનત્વ ધર્મ નથીતેમાં પ્રાગભાવત્વ ધર્મ પણ નથી. વ્યાપક ધર્મના અભાવને કારણે વ્યાપ્ય ધર્મનો અભાવ સિદ્ધ થરો. તેથી પ્રતિયોગીનો અજનક `પ્રાગભાવ સિદ્ધ થઈ શક્તો જ નથી. સામાન્યાભાવરૂપ પ્રાગભાવ સ્વીકારતાં પ્રતિયોગીનો અજનક પ્રાગભાવ સ્વીકારવો પડે. અને પ્રતિયોગીનો અજનક પ્રાગભાવ તો બની શકે જ નહિ એ અમે કહી ગયા છીએ.
તે તે ઘટવ્યક્તિની ઉત્પત્તિમાં તે તે ઘટવ્યક્તિનો પ્રાગભાવ જ જનક બનશે. વિશેષાભાવરૂપ પ્રાગભાવ ઉપરાંત સામાન્યાભાવરૂપ પ્રાગભાવને પણ તે તે પ્રતિયોગીની ઉત્પત્તિમાં જનક તરીકે સ્વીકારવો એ તર્કસંગત નથી. સામાન્યાભાવરૂપે પ્રાગભાવનું પ્રતિયોગિજનકત્વ અસિદ્ધ હોઈ સામાન્યાભાવરૂપ પ્રાગભાવ સિદ્ધ થઈ શકે નહિ.' જેમ સામાન્યાભાવરૂપ પ્રાગભાવનું પ્રતિયોગિજનત્વ અસિદ્ધ છે તેમ સામાન્યાભાવરૂપ પ્રાગભાવનો અનુયોગી પણ અસિદ્ધ છે. જેટલા વિશેષાભાવો છે તે બધાના (યાવદ્વિશેષાભાવના) અધિકરણમાં જ સામાન્યાભાવ હોઈ શકે. જેમ રૂપપ્રતિયોગિક યાવવિશેષાભાવના અધિકરણ વાયુમાં રૂપસામાન્યાભાવ છે તેમ ઘટપ્રાગભાવ પણ જો સામાન્યાભાવ હોય તો આ સામાન્યાભાવરૂપ ઘટપ્રાગભાવનો અનુયોગી અર્થાત્ આશ્રય કોણ બનશે ? યાવઘટપ્રાગભાવના આશ્રય તરીકે તો કોઈ પણ ધર્મી સિદ્ધ નથી. તેથી સામાન્યાભાવરૂપ ઘટપ્રાગભાવનો આશ્રય કોઈ બની શકે નહિ. તે તે કપાલ તો તે તે ઘટપ્રાગભાવનો આશ્રય છે. કોઈ પણ કપાલ યાવઘટપ્રાગભાવનો આશ્રય નથી. યાવપ્રાગભાવવિશેષોનો આશ્રય અસિદ્ધ હોઈ સામાન્યાભાવરૂપ પ્રાગભાવનો આશ્રય કોંઈ પણ બની શકે જ નહિ." અત્યન્તાભાવ સામાન્યાભાવરૂપ બની શકે છે પરંતુ પ્રાગભાવ કદી પણ સામાન્યાભાવરૂપ બની શકતો નથી. પ્રાગભાવ પ્રતિયોગીના સમવાયિદેશમાં હોય છે એ સાચું. પરંતુ તે તે પ્રતિયોગીનો સમાયિદેશ સિદ્ધ હોવા છતાં યાત્રપ્રતિયોગીનો સમવાયિદેશ