SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ઉપદેશમાળા : एवमगीयत्यो वि हु, जिणवयणपईव चक्खुपरिहीणो। दव्वाइ अयाणंतो, उस्सग्गववाइयं चेव ॥४०७॥ અર્થ–બતે જ પ્રમાણે (દુ ઇતિ નિશ્ચયે) જિનેશ્વરનાં કહેલાં વચનોરૂપી દેદીપ્યમાન દીપકરૂપ ચક્ષુથી રહિત એવો અગીતાર્થ પણ દ્રવ્યાદિક વસ્તુઓને તથા ઉત્સર્ગ અપવાદ માર્ગને નહીં જાણતો સતો શી રીતે બીજાને માર્ગ બતાવી શકે? જ બતાવી શકે.” कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए। कह वा करेउ गच्छं, सबालवुड्डाउलं सो उ॥४०॥... અર્થ-“તે (ઉપર કહ્યો તેવો) અગીતાર્થ શી રીતે પોતે ચારિત્રમાં યતના કરી શકે? અથવા અગીતાર્થની નિશ્રાએ વર્તતા બીજા મુનિઓ પણ તપ-સંયમ વિષે યતના કરવાને શી રીતે સમર્થ થાય? અથવા તે અગીતાર્થ બાળ અને વૃદ્ધોથી આકુળ (સહિત) એવા ગચ્છને શી રીતે પ્રવર્તાવી શકે? કાંઈ ન કરી શકે.” सुत्ते य इमं भणियं, अप्पच्छित्ते य देइ पच्छित्तं । ... पच्छित्ते अइमत्तं, आसायणं तस्स महईओ ॥४०९॥ અર્થ-બસિદ્ધાંતમાં એવું કહ્યું છે કે જે અગીતાર્થ બીજાને પ્રાયશ્ચિત્ત (પાપ) . વિના પ્રાયશ્ચિત્ત (તપસ્યા) આપે, અથવા થોડા પ્રાયશ્ચિત્ત (પાપ) માં અધિક (મોટું) પ્રાયશ્ચિત્ત (તપસ્યા) આપે, તો તે અગીતાર્થને મોટી આશાતના–જિનાજ્ઞાની વિરાઘના થાય છે. તેવા અગીતાર્થને જિનેશ્વરની આજ્ઞાનો વિરાધક જાણવો. आसायण मिच्छत्तं, आसायणवत्रणा उ’सम्मत्तं । ___ आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥४१०॥ અર્થ-આશાતના શબ્દ કરીને જિનાજ્ઞાનો ભંગ એ જ મિથ્યાત્વ કહેવાય છે, અને આશાતનાને વર્જવી એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ સમ્યકત્વ કહેવાય છે, તેમજ આશાતનાને નિમિત્તે એટલે જિનાજ્ઞાનો ભંગ કરવાથી પ્રાણી દીર્ધસંસાર એટલે ચાર ગતિમાં શ્રમણ કરવારૂપ બહુલ સંસાર ઉપાર્જન કરે છે.” एए दोसा जम्हा, अगीय जयंतस्सऽगीयनिस्साए । वडावय गच्छस्स य, जो वि गणं देई अगीयस्स ॥४११॥ અર્થ–માટે તપસંયમમાં યતના કરતા એવા પણ અગીતાર્થને એ (પૂર્વોક્ત) દોષો લાગે છે, અગીતાર્થની નિશ્રાએ (વચન વડે) તપ સંયમ કરતા એવા બીજાને પણ એ દોષો લાગે છે. વળી ગચ્છના પ્રવર્તાવનાર અગીતાર્થને પણ એ દોષો લાગે છે, તથા જે અગીતાર્થને (મૂર્ખને) ગણ (આચાર્યપદ) આપે છે, સોંપે છે, તેને પણ એ પૂર્વોક્ત દોષો લાગે છે.”
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy