________________
૨૩
નરકતિર્યંચગતિના દુખો હવે પ્રમાદથી સમતિ મલિન થાય છે, તે દ્રષ્ટાંત કરીને બતાવે છે–
जह मूलताणए पंडुरम्मि दुव्वन्नरागवन्नेहिं । * વીમછા પડતીહા, ડ્રય સમત્ત પમાëાર૭રૂા.
અર્થ–“જેમ મૂળ શ્વેત તાંતણામાં (સૂતરના તંતુમાં) કાળા, રાતા વગેરે ખરાબ વર્ણવાળા તંતુઓએ કરીને વસ્ત્રની શોભા બીભત્સ એટલે ખરાબ થાય છે, તેમ પ્રમાદે કરીને સમકિત પણ બીભત્સ (મલિન) થાય છે. માટે સમકિતના શત્રુરૂપ પ્રમાદોનો ત્યાગ કરવો યોગ્ય છે એ તાત્પર્ય છે.”
नरएसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं इक्कं ।।
પવિમાન વંધફ, વોકિલહાન લિવરેજ ર૭૪ અર્થ–“સો વર્ષના આયુષ્યવાળો જે કોઈ પુરુષ પાપકર્મ કરવાથી નરક ગતિમાં અને પુણ્યકર્મ કરવાથી દેવગતિમાં એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે તે પુરુષ એક દિવસે (સો વર્ષમાંના દરેક દિવસે) નરક સ્વર્ગના દુઃખ સુખ સંબંધી કરોડો હજારો પલ્યોપમ જેટલું આયુષ્ય બાંધે છે; અર્થાત્ સો વર્ષના દિવસોનો એક સાગરોપમના દશ કોડાકોડી પલ્યોપમ સાથે ભાગાકાર કરતાં તેટલા આયુષ્યને બાંઘવાવાળું પાપ અથવા પુણ્ય એક દિવસમાં જીવ ઉપાર્જન કરે છે. માટે પ્રમાદના આચરણનો ત્યાગ કરીને નિરંતર પુણ્ય ઉપાર્જન કરવામાં ઉદ્યમ કરવો, એ આ ગાથાનું તાત્પર્ય છે.” *
पलिओवमसंखिज्जं, भागं जो बंधई सुरगणेसु ।
દિવસે દિવસે વંધફ, સ વારોડી શાંતિ પાર૭૧ાા . અર્થ–“જે સો વર્ષના આયુષ્યવાળો નરભવમાં રહેલો પુરુષ પુણ્યાચરણ વડે દેવજાતિના સમૂહમાં પલ્યોપમના સંખ્યાતમા ભાગને (તેટલા અલ્પ આયુષ્યને) બાંધે છે, તે દેવગતિના પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યને બાંધનારો સો વર્ષના આયુષ્યવાળો) પુરુષ દિવસે દિવસે (પ્રત્યેક દિવસે) અસંખ્યાતા કરોડો વર્ષનું (આયુષ) બાંધે છે. એટલે કે જો પલ્યોપમના સંખ્યાતમા ભાગના વર્ષોના વિભાગ કરીને સો વર્ષના દરેક દિવસમાં વહેંચીએ તો દરેક દિવસે અસંખ્યાત કરોડ વર્ષ આવે.” . एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एवं पि ।
धम्मम्मि कह पमाओ, निमेसमित्तं पि कायव्वो ॥२७६॥ ' અર્થ-“આ જ ક્રમ નરકમાં પણ છે. એટલે કે પાપકર્મ કરનાર સો વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રત્યેક દિવસે અસંખ્યાત કરોડ વર્ષનું નરકાયુષ્ય બાંધે છે તે પૂર્વે કહેલું પુણ્ય-પાપને ઉપાર્જન કરવાનું સ્વરૂપ (નામ પ્રસિદ્ધાર્થક છે) જાણીને