________________
(૬૩) શશિપ્રભ રાજાની કથા
नरयत्यो ससिराया, बहु भाइ देहलालणासुहिओ । पडिओ मि भवे भाग्य ! तो मे जाएह तं देहं ॥ २५६॥ અર્થ—“નરકમાં રહેલો શશિરાજા પોતાના ભાઈને ઘણું કહે છે કે હે ભાઈ! હું દેહનું લાલનપાલન કરવાથી સુખ પામ્યો (સુખલંપટ થયો), તેથી આ ભવમાં નરકમાં પડ્યો છું, માટે મારા તે (પૂર્વભવના) દેહને તું પીડા કર, કદર્થના કર.” અહીં શશિપ્રભ રાજાની કથા છે તે નીચે પ્રમાણે—
૨૫૩
શશિપ્રભ રાજાની કથા
કુસુમપુર નગરમાં જિતારી' નામે રાજા હતો. તેને ‘શશિપ્રભ' અને ‘સુરપ્રભ’ નામના બે પુત્રો હતા. તેમાં મોટા શશિપ્રભને રાજ્ય પર બેસાડી નાના સુરપ્રભને યુવરાજપદ આપી જિતારી રાજા ધર્મકર્મમાં ઉદ્યમી થયો. એકદા ત્યાં ચાર જ્ઞાનને ઘારણ કરનાર શ્રી વિજયઘોષ સૂરિ પધાર્યા. તેમને વંદના કરવા માટે શશિપ્રભ અને સુરપ્રભ ગયા. ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને સુરપ્રભ પ્રતિબોધ પામ્યો. પછી ઘરે આવીને સુપ્રભે શશિપ્રભને કહ્યું કે “હે બંધુ! આ સંસાર અસાર છે, તેથી વિષયસુખનો ત્યાગ કરી ચારિત્ર લઈ તપસંયમમાં ઉદ્યમ કરીએ; જેથી સ્વર્ગ તથા મોક્ષની પણ પ્રાપ્તિ થાય.’’ તે સાંભળીને શશિપ્રભે કહ્યું કે ‘હે ભાઈ ! આજે તું કોઈ ધૂર્તથી ઠગાયો લાગે છે. કેમકે પ્રાપ્ત થયેલાં વિષયસુખનો ત્યાગ કરીને આગળનાં (ભવિષ્યનાં) સુખની વાંછા કરે છે, માટે તું મહા મૂર્ખ છે. ભવિષ્યનાં સુખ કોણે જોયાં છે ? ઘર્મનું ફળ થશે કે નહીં તે કોણ જાણે છે ?” ત્યારે સુરપ્રભ બોલ્યો કે ‘હે ભાઈ! આ તમે શું કહ્યું? ઘર્મનું ફળ નિશ્ચિત મળે જ છે, કેમકે પુણ્ય અને પાપના ફળો પ્રત્યક્ષ જ દેખાય છે. જુઓ, એક જીવ રોગી, એક નીરોગી, એક રૂપવાન, એક કુરૂપ, એક ઘનવાન, એક નિર્ધન, અને એક સોભાગ્યવાન, બીજો દુર્ભાગ્યવાન, ઇત્યાદિ સર્વ પુણ્યપાપનું ફળ જ છે.' આમ અનેક પ્રકારે બોથ કર્યા છતાં શશિપ્રભ બહુલકર્મી હોવાથી બોધ પામ્યો નહીં. એટલે સુરપ્રભે એકલાએ દીક્ષા ગ્રહણ કરી, અને તપ-સંયમની આરાધના કરીને અનુક્રમે મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં ગયો. રાજ્યનું પાલન કરતો અને વિષયસુખમાં મગ્ન રહેલો, શશિપ્રભ વ્રત પ્રત્યાખ્યાન વિના જ મૃત્યુ પામીને ત્રીજી નરકમાં નારકી થયો.
પછી સુરપ્રભ દેવે અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વભવના ભાઈને નરકમાં રહેલો જાણી પૂર્વના સ્નેહને લીઘે નરભૂમિમાં આવી તેની પાસે તેના પૂર્વભવનું સ્વરૂપ કહ્યું, તથા તે દેવ બોલ્યો કે ‘હે ભાઈ ! પૂર્વ ભવે તેં મારું કહ્યું કર્યું. નહીં, માટે આ નરકમાં તું ઉત્પન્ન થયો.' તે સાંભળીને શશિપ્રભે પણ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણ્યું. પછી તે નરકમાં રહેલા શશિપ્રભે સુરપ્રભ દેવને કહ્યું કે “હે ભાઈ! પૂર્વે વિષયસુખમાં લંપટ થયેલા મેં ઘર્મનું આરાધન કર્યું નહીં, તેથી હું