________________
(૪૧) સહસ્રમલ્લની કથા
૧૮૧ રાજ્ય તજી દઈને ચારિત્ર ગ્રહણ કર્યું. તે સામાયિકથી માંડીને અગિયાર અંગ ભણ્યો. અનુક્રમે ચારિત્ર પાળતાં તેણે જિનકલ્પી વિહાર અંગીકાર કર્યો. તે પ્રમાણે વિહાર કરતાં એકદા તે કાલસેન રાજાના નગરની સમીપ કાયોત્સર્ગમુદ્રાથી રહ્યા. કાલસેને તેને જોઈને ઓળખ્યા; એટલે “આ પાપી જ મને જીવતો પકડીને કનકધ્વજ રાજા પાસે લઈ ગયો હતો એમ વિચારી તેના પર રુષ્ટમાન થઈને તે દુષ્ટ કાલસેને સહસ્ત્રલ્લિ સાઘુને લાકડીઓ, ઈટો અને પાષાણાદિના પ્રહારો કરવા વડે ઘણી કદર્થના કરી, પરંતુ તે જરા પણ ક્ષોભ પામ્યા નહીં. ક્ષમા ઘારણ કરીને શુદ્ધ ધ્યાનમાં તત્પર રહ્યા. અનુક્રમે તે કાલસેને કરેલા ઉપસર્ગોથી થયેલ વેદનાવડે મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે બીજા મુનિઓએ પણ ક્ષમા કરવી એવો આ કથાનો ઉપદેશ છે.
दुअणमुहकोदंडा वयणसरा पुव्वकम्मनिम्माया।
સાર તે ન ગ વંતિયં વહંતા રૂા . અર્થ–“ક્ષમારૂપી ફલક જે ઢાલ અથવા બખ્તર તેને વહન કરતા-ઘારણ કરતા એવા સાધુઓને તે દુર્જનના મુખરૂપ ઘનુષ્યમાંથી નીકળેલાં અને પૂર્વકર્મથી નિર્માણ થયેલાં એવાં કટુ વચનરૂપી બાણો લાગતાં નથી. અર્થાત્ મર્મનો ભેદ કરે તેવાં દુર્જનનાં વચનો મુનિઓ સમતા (ક્ષમા) વડે સહન કરે છે.” .. સ્થળાદો શીવો, પત્થરં ડમિજી |
ગિરિગો સર પu Mત્તિ વિમા રૂા. . અર્થ–પથ્થરથી હણાયેલો કૂતરો પથ્થરને કરડવા ઇચ્છે છે અને સિંહ બાણને પામીને અર્થાત્ પોતાને બાણ લાગવાથી બાણ તરફ ન જોતાં રોત્પત્તિને એટલે આ બાણ ક્યાંથી આવ્યું છે તે સ્થાનને અથવા બાણ મૂકનારને જુએ છે, શોધે છે.” ભાવાર્થ–મુનિ પણ દુર્વચનરૂપી તીરને પામીને તે બોલનાર તરફ ઠેષ કરતા નથી, પણ આ વચનપ્રહાર મારા પૂર્વોપાર્જિત કર્મનું ફળ છે એમ વિચારી તે કમોને હણવા પ્રયત્ન કરે છે.
तह पुवि किं न कयं, न बाहए जेण मे समत्थो वि। इण्डिं किं कस्स व कुप्पि मुत्ति धीरा अणुपिच्छा ॥१४०॥ અર્થ–“ધીર પુરુષ એવી રીતે વિચારે છે કે હે આત્મા!તેં પૂર્વભવે શા માટે એવું (સુકત) ન કર્યું કે જેથી મને સમર્થ એવો પુરુષ પણ બાઘા (પીડા) કરી ન શકે? (જો શુભ કર્યું હોત તો તને કોણ બાઘા કરી શકત ?) હવે અત્યારે શા માટે કોઈના ઉપર કોપ કરું? (કારણ કે પૂર્વના અશુભ કર્મનો ઉદય થયે સતે બીજા પર ક્રોઘ કરવો વ્યર્થ છે). આમ વિચારીને તે કોઈના પર ક્રોઘ કરતા નથી.”