________________
૧૭૬
ઉપદેશમાળા
ફળ (વિપાક) અતુલ (વિસ્તીણ) અને અતિ કડવાં છે એમ પણ જાણતો સતો તેને જ (તે રાગદ્વેષને જ) અથવા તેના ફળને જીવ (અમૃતરસની બુદ્ધિએ) ફરી ફરીને ! સેવે છે.” તેથી આ સંસારવાસી જીવોને ધિક્કાર છે!
को दुक्खं पाविजा, कस्सवि सुक्खेहि विम्हिओ हुञ्जा।
को नवि लभिज्ज मुक्खं, रागहोसा जइ न हुजा ॥१२९॥
અર્થ–“જો રાગદ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? કોને સુખ વડે કરીને . વિસ્મય થાત? (કે અહો આ મહાસુખી છે) અને કોણ જીવ મોક્ષ ન પામત? અર્થાત્ બઘા જીવો મોક્ષે જાત.”
माणी गुरुपडिणीओ, अणत्यभरिओ अमग्गचारी य । મહં વિસનારું, તો વાફ નદેવ ગોસાબે રૂા.
અર્થ–“જે શિષ્ય માની (અહંકારી), ગુરુનો પ્રત્યેનીક (ગુરુના અપવાદ બોલનારો), પોતાના અશુદ્ધ સ્વભાવથી જ અનર્થનો ભરેલો અને ઉત્સુત્ર પ્રરૂપણારૂપ ઉન્માર્ગે એટલે ઊંઘા રસ્તે ચાલનારો હોય તે શિષ્ય ફોગટ અનેક પ્રકારના (શિરોમુંડન, સંયમ આદિ) ક્લેશસમૂહને ભોગવે છે, અર્થાત્ નિષ્ફળ તપ સંયમાદિ કષ્ટને સહન કરે છે, ગોસાળાની જેમ.”
ભાવાર્થ–ભગવંતના શિષ્યાભાસ ગોસાળે જેમ ફોગટ તપ સંયમાદિ કષ્ટ ભોગવ્યું, અર્થાત્ ઉપર જણાવેલા દોષવાળો હોવાથી તેને તપ સંયમાદિનું કાંઈ પણ ફળ પ્રાપ્ત થયું નહીં, એમ સમજવું. ___ कलहण कोहणसीलो, भंडणसीलो विवायसीलो य ।
जीवो निच्चुञ्जलिओ, निरत्थयं संजमं चरइ ॥१३१॥
અર્થ–“જે જીવ લહ કરવાના સ્વભાવવાળો હોય, ક્રોઘ કરવાના સ્વભાવવાળો હોય, ભંડન કરવાના સ્વભાવવાળો હોય અને વિવાદ કરવાના સ્વભાવવાળો હોય તે નિત્ય પ્રજ્વલિત રહે છે તેથી તે નિરર્થક ચારિત્ર આચરે છે.” અર્થાત, ક્રોઘથી ચારિત્રનો વિનાશ થાય છે અને આ બઘા ક્રોઘના જ પ્રકાર છે, તેથી ક્રોઘને તજીને ચારિત્ર પાળવું તે જ શ્રેયકારી છે.
ભાવાર્થ–પરસ્પર રાડો પાડીને બોલવું તે કલહ સમજવો. પારકા ગુણને સહન ન કરી શકવાનો જે સ્વભાવ તે ક્રોઘનશીલ સમજવો. યષ્ટિ મુષ્ટિ વગેરેથી યુદ્ધ કરવાનો જે સ્વભાવ તે લંડનશીલ જાણવો અને વચનવડે વાદવિવાદ કરવો તે વિવાદશીલ જાણવો.
जह वणदवो वणं दव-दवस्स जलिओ खणेण निदहइ। एवं कसायपरिणओ, जीवो तवसंजमं दहइ ॥१३२॥