________________
૧પ૦
ઉપદેશમાળા.
કાલિકાચાર્યની કથા સુરુમિણી નગરીમાં “જિતશત્રુ' નામે રાજા હતો. તે ગામમાં એક “કાલિક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને ભદ્રા' નામે બહેન હતી અને તે ભદ્રાને દત્ત' નામે પુત્ર હતો. એકદા કાલિક બ્રાહ્મણે પોતાની મેળે પ્રતિબોધ પામીને ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેમણે આચાર્યપદ મેળવ્યું. તેમનો ભાણેજ દત્ત સ્વછંદી થયો અને વૃત આદિ વ્યસનોથી પરાભવ પામી રાજાની સેવા કરવા લાગ્યો. કર્મયોગે રાજાએ તેને મંત્રીપદ આપ્યું. અધિકાર મળતાં રાજાને જ પદભ્રષ્ટ કરી તેણે રાજ્ય પચાવી પાડ્યું. રાજા પણ તેના ભયથી નાસી ગયો અને ગુપ્તપણે કોઈ સ્થાને રહ્યો.
પછી મહાક્રૂર કર્મ કરનારો તે દત્ત રાજા મિથ્યાત્વથી મોહ પામીને અનેક યજ્ઞો કરાવવા લાગ્યો અને સંખ્યાબંઘ પશુઓનો ઘાત કરવા લાગ્યો. અન્યદા કાલિકાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા, ત્યારે ભદ્રા માતાના આગ્રહથી દત્ત રાજા વાંદવા, આવ્યો. ગુરુમહારાજે દેશના આપી કે–
धर्माद्धनं धनत एव. समस्तकामा कामेभ्य एव सकलेन्द्रियजं सुखं च । कार्यार्थिना हि खलु कारणमेषणीयं
धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥ “થર્મથી થન મળે છે, ઘનથી સમસ્ત કામનાઓ સિદ્ધ થાય છે અને સર્વ કામનાની સિદ્ધિથી સમગ્ર ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્ત થાય છે. માટે કાર્યાર્થીઓએ તો અવશ્ય કારણ શોધવું જોઈએ, તેથી ઘર્મ કરવો એવું તત્ત્વવેત્તાઓ કહે છે.”
આ પ્રમાણે સાંભળીને દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું. ગુરુએ કહ્યું કે “જ્યાં હિંસા હોય ત્યાં ઘર્મનો અભાવ છે.' કહ્યું છે કે
दमो देवगुरुपास्ति-दर्दानमध्ययनं तपः।
सर्वमप्येतद अफलं हिंसां चेन्न परित्यजेत् ॥ ઇંદ્રિયોનું દમન, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સઘળાં જો હિંસાનો ત્યાગ ન કરે તો વ્યર્થ છે.”
ફરીથી દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું ત્યારે ગુરુએ કહ્યું કે ‘હિંસા દુર્ગતિનું કારણ છે.' કહ્યું છે કે
पकुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः। ..
निरागस्त्रसजंतूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ “ડાહ્યા માણસે પાંગળાપણું, કોઢીઆપણું ને હૂંઠાપણું વગેરે હિંસાનાં ફળ છે એમ જાણીને નિરપરાથી એવા ત્રસ પ્રાણીઓની હિંસા સંકલ્પવડે પણ ન કરવી.”