________________
(૩૦) પ્રદેશી રાજાનું દૃષ્ટાંત
-૧૪૭
ન
મારો રાજા નરકે ન જવો જોઈએ, માટે તેને આ મુનિ પાસે લઈ જાઉં’ એવું વિચારી અક્રીડાના બહાને રાજાને નગર બહાર લઈ ગયો. પછી અતિ શ્રમથી થાકી ગયેલો રાજા શ્રી કેશીકુમારે અલંકૃત કરેલા વનમાં આવ્યો. ત્યાં ઘણા લોકો આગળ તેમને દેશના દેતાં જોઈને રાજાએ ચિત્રસારથિને પૂછ્યું કે ‘આ મૂંડો જડ અને અજ્ઞાની લોકોની આગળ શું કહે છે ?” ચિત્રસારથિએ કહ્યું કે ‘હું જાણતો નથી. જો આપની ઇચ્છા હોય તો ચાલો, ત્યાં જઈને સાંભળીએ.’ એ પ્રમાણે કહેવાથી રાજા ચિત્રસારથિની સાથે ત્યાં ગયો, અને વંદનાદિ વિનય કર્યા વિના ગુરુને પૂછ્યું કે ‘આપનો હુકમ હોય તો બેસું?” ગુરુએ કહ્યું કે ‘આ તમારી ભૂમિ છે, માટે ઇચ્છા મુજબ કરો.' એ સાંભળીને રાજા તેમની આગળ બેઠો.
તેને બેઠેલો જોઈને આચાર્યે વિશેષે કરીને જીવ આદિનું સ્વરૂપ વર્ણવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે “આ સર્વ અસંબદ્ધ છે. જે વસ્તુ પ્રત્યક્ષ દેખાય તે જ સત્ હોય છે. જેમ પૃથ્વી, જળ, તેજ ને વાયુ પ્રત્યક્ષ દેખાય છે તેમ આ જીવ પ્રત્યક્ષ દેખાતો નથી તેથી આકાશપુષ્પવત્ અવિદ્યમાન એવી જીવસત્તા કેમ માની શકાય ?’’ ત્યારે કેશીકુમારે કહ્યું કે “હે રાજા ! જે વસ્તુ તારી નજરે ન દેખાય તે શું બધાની નજરે ન દેખાય? જો તું કહીશ કે જે હું દેખું નહીં તે સર્વ અસત્ય છે' તો તે મિથ્યા કથન છે. કારણ કે બધાએ જોયું હોય અને એકે ન જોયું હોય તો તે અસત્ય ઠરતું નથી. વળી જો તું એમ કહે કે “બધા જોઈ શકતા નથી', તો તું શું સર્વજ્ઞ છે કે જેથી બધા જોઈ શકતા નથી એવી તને ખબર પડી? જે સર્વજ્ઞ છે તે તો જીવને પ્રત્યક્ષ જુએ છે. તું તારા શરીરનો અગ્ર ભાગ જોઈ શકે છે પણ પૃષ્ઠ ભાંગ જોઈ શકતો નથી તો જીવનું સ્વરૂપ કે જે અરૂપી છે તે તો તું શી રીતે જોઈ શકે? માટે જીવસત્તા છે એમ માનીને પરલોકનું સાધન છે તે પ્રમાણ કર.”
ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું—‘હે સ્વામી ! મારો પિતામહ અત્યંત પાપી હતો. તે તમારા મત પ્રમાણે નરકે જવો જોઈએ. તેને હું ઘણો જ પ્રિય હતો, પણ તેણે આવીને મને કહ્યું નહીં કે તું પાપ ન કર. પાપ કરીશ તો નરકે જવું પડશે, ત્યારે જીવસત્તાને હું કેવી રીતે માન્ય કરું?” કેશી મુનિએ કહ્યું કે ‘તેનો ઉત્તર સાંભળ. તારી સુરિકાંતા રાણી સાથે વિષયસેવન કરતાં કોઈ પરપુરુષને તું જુએ તો તેને તું શું કરે ?’ રાજાએ કહ્યું કે ‘હું તેને એક ઘાએ બે ટુકડા કરી મારી નાખું, એક ક્ષણ કુટુંબ મેળાપ કરવા માટે તેને ઘેર જવાની પણ રજા આપું નહીં.’ ગુરુએ કહ્યું કે ‘એ પ્રમાણે નારકીઓ પણ કર્મથી બંઘાયેલા હોવાથી અત્રે આવી શકતા નથી.’
ફરીથી રાજાએ કહ્યું કે ‘અતિ ધર્મિષ્ઠ એવી મારી માતા તમારા મત પ્રમાણે સ્વર્ગમાં ગઈ હશે. તેણે પણ આવીને મને કહ્યું નહીં કે વત્સ ! પુણ્ય કરજે. પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે, તો હું જીવસત્તાને કેવી રીતે પ્રમાણ કરું ?' ત્યારે