SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉપદેશમાળા લાગે તોપણ જે અંગીકાર કરે છે, તેને તે પરિણામે સુખ આપનારું, આ ભવ પરભવમાં હિતકારી થાય છે. अणुवत्तगा विणीया, बहुक्खमा निच्चभत्तिमंता य । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इह सुसीला ॥९७॥ અર્થ “ગુરુની અનુવર્તનાએ ચાલવાવાળા (ગુરુ કહે તેમ કરનારા), બાહ્યાવ્યંતર વિનયવંત, બહુ સહન કરવાવાળા, નિત્ય ભક્તિવંત, ગુરુકુળવાસે વસનારા (સ્વેચ્છાચારી નહીં), જ્ઞાનાદિ કાર્ય સિદ્ધ થયે પણ ગુરુને નહીં મૂકવાવાળા અને સુશીલ (સમ્યગ્ આચારવાળા) એવા શિષ્યો આ જગતમાં ઘન્ય છે.” जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निगुणस्स य, अयसो - कित्ती अहम्मो य ॥९८॥ અર્થ—“ગુણવંત એવા શિષ્યનો જીવતા સતા આ ભવમાં યશ થાય છે અને કીર્તિ થાય છે, તેમજ મરણ પામ્યે સતે પરભવમાં તેને ધર્મ પ્રાપ્ત થાય છે. નિર્ગુણી એટલે દુર્વિનીત શિષ્યને આ ભવમાં અપયશ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે અને’ પરભવમાં અધર્મ-નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે.’’ वुड्डावासे वि ठियं, अहव गिलाणं गुरुं परिभवंति । दत्तुव्व धम्मवीमं-सएण दुस्सिक्खियं तं पि ॥९९॥ અર્થ—“વૃદ્ધાવસ્થામાં (વિહારાદિની અશક્તિથી એક સ્થાનકે વિધિપૂર્વક) સ્થિર થયેલા અથવા ગ્લાન-વ્યાધિયુક્ત થયેલા એવા ગુરુને દત્ત નામના શિષ્યની જેમ જે પરાભવ કરે છે તે ધર્મવિચારણા વડે પણ દુ:શિક્ષિત જાણવું, અર્થાત્ દુષ્ટ શિષ્યનું આચરણ સમજવું.” દત્તમુનિનું દૃષ્ટાંત કુલ્લપુર નામના શહેરમાં સંઘની અંદર કોઈ સ્થવિર (વૃદ્ધ) આચાર્ય હતા. તેમણે એક વખતે આગળ મોટો દુષ્કાળ પડવાનો છે એમ જાણી ગચ્છના સર્વ સાધુઓને બીજે દેશે મોકલ્યા; પણ વૃદ્ધપણાને લીધે પોતે જવાને અશક્ત હોવાથી તે જ નગરીમાં વસ્તીના નવ ભાગ કલ્પી એક સ્થાનવાસી થઈને રહ્યા. એકદા ગુરુસેવાને માટે દત્ત નામનો શિષ્ય ત્યાં આવ્યો. તે શિષ્ય જે નિવાસસ્થાનમાં ગુરુને મૂકીને ગયો હતો તે જ સ્થાનમાં ગુરુ વિહારક્રમથી આવેલા હતા. તેથી તે જ સ્થાનમાં ગુરુને જોઈને શિષ્ય શંકિત થઈ વિચારવા લાગ્યો કે ‘ગુરુ પાસથ્થા અને ઉન્માર્ગગામી થયા જણાય છે, તેમણે સ્થાન પણ બદલ્યું હોય એમ જણાતું નથી.' આમ વિચારીને તે જુદા ઉપાશ્રયમાં રહ્યો. ભિક્ષાર્થે ગુરુની સાથે નીકળ્યો, અને ઊંચ-નીચ કુળમાં ફરતાં ભિક્ષા નહીં મળવાથી મનમાં ઉદ્વેગ પામવા
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy