________________
૧૧૯
(૨૦) શ્રી સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત
वेश्या रागवती सदा तदनुगा षड्भीरसैर्भोजनम् । शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयःसंगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात् ।
तं वंदे युवतिप्रबोधकुशलं श्रीस्थूलिभद्रं मुनिम् ॥४॥ પૂર્વની પ્રીતિવાળી વેશ્યા અને તે પણ સર્વદા અનુકૂળ વર્તનારી, ષટ્રસયુક્ત ભોજન, સુંદર મહેલ, મનોહર શરીર, યુવાવસ્થા અને વર્ષાઋતુ-આટલી વસ્તુનો યોગ છતાં પણ જેણે આદરથી કામને જીત્યો એવા યુવતીઓને પ્રતિબોઘ પમાડવામાં કુશલ શ્રી ધૂલિભદ્ર મુનિને હું વંદું છું.' रे काम ! वामनयना तव मुख्यमस्त्र, वीरा वसंतपिकपंचमचंद्रमुख्याः । त्वत्सेवका हरिविरंचिमहेश्वराधा, हा हा हताश ! मुनिनापि कथं हतस्त्वम् ।।५।।
“હે કામ! વામનયના (સુંદર નેત્રોવાળી સ્ત્રી) તારું મુખ્ય અસ્ત્ર છે, વસંતઋતુ, કોકિલ, પંચમ સ્વર અને ચંદ્ર વગેરે તારા મુખ્ય સુભટો છે, અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરાદિ તારા પ્રઘાન સેવકો છે, છતાં દિલગીરીની વાત છે કે હે ભગ્નાશ! તું માત્ર એક મુનિથી પણ કેવી રીતે હણાયો?”
श्रीनंदिषेणरथनेमिमुनिश्वरार्द्र-बुद्ध्या त्वया मदन रे मुनिरेष दृष्टः । ज्ञातं न नेमिमुनिजंबूसुदर्शनानाम्, तुर्यो भविष्यति निहत्य रणांगणे माम् ॥६॥
હે કામદેવ! તેં નંદિપેણ, રથનેમિ અને આર્દ્રકુમાર મુનીશ્વરની બુદ્ધિથી આ સ્થૂલિભદ્ર મુનિને જોયેલા કે તે ત્રણની સાથે આ ચોથા થશે; પણ તેં એમ ન જાણ્યું કે આ તો રણાંગણમાં મને હણીને નેમિનાથ, જંબૂમુનિ ને સુદર્શન શેઠ એ ત્રણની સાથે ચોથા થશે?' श्रीनेमितोऽपि शकडालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं, यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥७॥
વિચાર કરીએ તો અમે શ્રી નેમિનાથ કરતાં પણ સ્થૂલિભદ્રને જ એક મહાન યોદ્ધા ગણીએ છીએ. કારણ કે શ્રી નેમિનાથે તો ગિરનાર દુર્ગનો આશ્રય કરીને મોહને જીત્યો છે, પણ ઇન્દ્રિયોને વશ રાખનાર આ સ્થૂલિભદ્ર તો મોહના ઘરમાં
પ્રવેશ કરીને તેને જીતી લીઘો છે.” છે. આ પ્રમાણે સ્તુતિ કરીને કોશાએ સ્થૂલિભદ્ર મુનિનું બધું સ્વરૂપ રથકારને
કરી બતાવ્યું કે બાર વર્ષનો મારી સાથે પૂર્વ પરિચય છતાં મારા ઘરમાં આવીને કિંચિત્માત્ર પણ ચલિત થયા નહીં, માટે ખરેખર તો તે જ દુષ્કર કાર્યના કરનારા છે. કહ્યું છે કે
पुष्फफलाणं च रसं, सुराइ महिलयाणं च । जाणंतो जे विरइया, ते दुक्करकारए वंदे ॥