________________
સાથે મારો ભેટો કરાવ્યો. આ સુયોગથી મારું જીવન સન્માર્ગે પાંગર્યું. તે પૂજ્યના સહૃદય સૂચનથી મને મારા પરમોપકારી ગુરુવર્યા શતાધિક શિષ્યોના યોગક્ષેમકારિકા પરમવિદૂષી સા.શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ.સા. કુશળ માર્ગચિંધક સ્વરૂપે મળ્યા. ઉપકારીઓના આશિર્વાદ અને સૂચનથી લખવાનું શરૂ કર્યું. ફળ તમારા હાથમાં છે.
માર્ગાનુગામી પ્રતિભાસંપન્ન સન્માર્ગદર્શક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને પ્રોત્સાહન તો આ કૃતિનું મૂળ છે. તેઓશ્રીએ સમયે સમયે યથાર્થ પદાર્થને સરળતાથી રજૂ કરવા અનેક અમૂલ્ય સૂચનો કરી લખાણમાં સચ્ચાઈ અને સુગમતાના સૂર પૂર્યા છે.
સૂત્રોના ઊંડાણ સુધી પહોંચવામાં સુ. શ્રા. શ્રી પ્રવીણભાઈ મોતાનો સહકાર સદા અનુમોદનીય છે. તો વળી સંપૂર્ણ લખાણને ટૂંકા સમયમાં જોઈ વિધિની શુદ્ધિ જાળવવા અનેક સૂચનો કરી પપૂ. નિર્મલદર્શનવિજયજી ગણિવર્ય અને ભાષાકીય ચોક્કસાઈ જાળવવામાં પં.પૂ. રોહિતાશ્રીજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. સાધ્વીજીશ્રી ચંદનબાળાશ્રીજી મ.સા. સ્મરણીય છે.
પ્રાંતે બહુશ્રુતજનોને એક પ્રાર્થના કરું કે ક્યાંય પણ ક્ષતિ જણાય તો મને જાણ કરશો. વીતરાગ સર્વજ્ઞની આજ્ઞાવિરુદ્ધ ક્યાંય કાંઈપણ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડું'
અંતરની એક અભિલાષા છે કે, આ સૂત્રો વાંચી પુસ્તકને મૂકી ન દેશો. તે તે ભાવોને પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતાં અનુભૂતિનો વિષય બનાવી અહીં જ આત્માનંદની મસ્તીને માણી પરમાનંદ પામવાનો પ્રયત્ન કરજો.
શ્રાવણ સુદ ૫ ૨૦૧૭ પરમ વિદૂષી પ.પૂ. ચન્દ્રાનનાશ્રીજી મ.સાના તા. ૪-૮-૨૦૧૧
શિષ્યા સા. પ્રશમિતાશ્રીજી શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર
I