________________
પચ્ચખાણ પારવાના સૂત્રો
૨૩૫
પચ્ચક્ઝાણમાં ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કર્યો હતો. આ પચ્ચક્કાણ મેં નીચે જણાવેલી છે શુદ્ધિપૂર્વક આરાધ્યું છે.
૧. પતિ - મેં આ પચ્ચખાણ સૂર્યોદય પૂર્વે ગ્રહણ કર્યુ હતું. ગ્રહણ કરતા મેં પચ્ચખાણના એક એક શબ્દો અર્થની વિચારણા સાથે ઉપયોગ પૂર્વક સાંભળ્યા હતા. તેને અનુસાર પાલન કરવાનો દઢ સંકલ્પ પણ કર્યો હતો, આ રીતે મને પચ્ચકખાણનો ભાવ સ્પર્યો છે.
૨. પા0િ - પચ્ચખાણનો સ્વીકાર કર્યા પછી પુનઃ પુનઃ મેં તેનું સ્મરણ કર્યું છે. માત્ર સ્મરણ નહિ; પરંતુ આહાર સંજ્ઞાને તોડવાનો જે મારો ઉદ્દેશ હતો તે ઉદ્દેશને અનુસાર પચ્ચકખાણના સમય સુધી મેં યત્ન પણ કર્યો છે. આ રીતે મેં પચ્ચકખાણનું પાલન કર્યું છે.
૩. સોદિર - પચ્ચખાણ પરવા પૂર્વે મેં મારા પૂજ્યવર્ગની આહારાદિથી ભક્તિ કરી છે. તથા આશ્રિતજનોને આહાર આદિ મળ્યા કે નહિ તેની સારસંભાળ પણ લીધી છે આ રીતે મેં મારા પચ્ચખાણને શોભાવ્યું છે. (ઔચિત્યના પાલનથી વ્રત શોભે છે). (સાધુ પણ જ્યારે પોતાના માટે લાવેલ આહારમાંથી ગુવંદિવર્ગની ભક્તિ કરી પછી શેષ રહેલા આહાર દ્વારા જ પોતાનો નિર્વાહ કરે ત્યારે તેણે પોતાના પચ્ચકખાણને શોભાવ્યું કહેવાય).
૪. તિરિH - પચ્ચખાણનો સમય પૂર્ણ થતાં અધીરા થઈ મેં તુરંત જ પચ્ચકખાણ પાર્યું નથી, પરંતુ પચ્ચકખાણનો સમય પૂરો થયા પછી પણ મેં ધીરજ રાખી સમય પસાર કર્યો હતો. આ રીતે મેં પચ્ચખાણ પાર્યું છે
૫. વિદિi - ભોજન કરતાં પૂર્વે પણ “મેં અમુક પચ્ચકખાણ કર્યું છે અને તે હવે યોગ્ય રીતે પૂર્ણ થયું છે તે વાતનું બરાબર સ્મરણ-કીર્તન કરી પછી જ ભોજન કરીશ. તેવું સ્મરણ કરીને મેં મારું પચ્ચકખાણ વારંવાર યાદ કર્યુ છે.
૬. સારહિ - ઉપરની સર્વ શુદ્ધિપૂર્વક મેં પચ્ચખાણ આરાધ્યું છે, આ રીતે આરાધી મેં પ્રભુ આજ્ઞાનું યોગ્ય પાલન કર્યું છે. મારી આહારસંજ્ઞાને તોડવા યત્ન કર્યો છે. કર્મના આશ્રવને અટકાવવા સઘન પ્રયાસ કર્યો છે. આ રીતે મેં પચ્ચખાણની આરાધના કરી છે.