SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ મૂલ સૂત્ર ઃ સૂત્ર સંવેદના-૬ ૨. તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ પારવાનું-સૂત્ર. सूरे उग्गए अब्भत्तठ्ठे पच्चक्खाण कर्तुं तिविहार; पोरिसिं साडपोरिसिं पुरिमुड्ड अवड्ड मुट्ठिसहिअं पच्चक्खाण कर्तुं पाणहारः पच्चक्खाण फासिअं पालिअं सोहिअं तिरिअं किट्टिअं आराहिअं जं च न आराहिअं तस्स मिच्छा मि તુતું. સંસ્કૃત છાયા : उद्गते सूर्ये अभक्तार्थम् प्रत्याख्यानम् कृतं त्रिविधाहारं; पौरुष, सार्धपौरुषी, पूर्वार्धम्, अपरार्धम्, मुष्टीसहितं प्रत्याख्यानम् कृतं पाणीयाहारं; प्रत्याख्यानम् स्पर्शितं, पालितं शोधितं, तीरितं, कीर्तितं, आराधितं; यच्च नाराधितं तस्य मिथ्या मे दुष्कृतम् । શબ્દાર્થ : સૂર્યોદયથી પ્રારંભી મેં ત્રણ પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કર્યુ હતું; તેમાં પોરસી, સાઢપોરસી, પુરિમુદ્ઘ, અવઝુ સુધી મૂઠીવાળી ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી પાણીરૂપ આહારનો પણ મેં ત્યાગ કર્યો હતો; આ પચ્ચક્ખાણને મેં સ્પર્શ્વ છે, પાળ્યું છે, શોભાવ્યું છે, પાર્યું છે, વારંવાર યાદ કર્યું છે, (આ રીતે મેં પચ્ચક્ખાણને) આરાધ્યું છે, (આ શુદ્ધિઓનું ધ્યાન રાખવા છતાં) મેં જે (શુદ્ધિને) ન આરાધી હોય તે સંબંધી મારું દુષ્કૃત (પાપ) નાશ પામો. વિશેષાર્થ : કર્મના આશ્રવને બંધ ક૨વો એ પચ્ચક્ખાણનો મુખ્ય આશય છે. આ આશય ત્યારે સિદ્ધ થાય કે, જ્યારે પચ્ચક્ખાણ છ શુદ્ધિપૂર્વક કરાયું હોય. જ્યારે પચ્ચક્ખાણની સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારે સાધક આ શુદ્ધિઓને યાદ કરી તે મુજબ પચ્ચક્ખાણની આરાધના થઈ છે તેવું જણાવે છે અને તેમાં જે પણ કોઈ સ્ખલના થઈ હોય તેનું ‘મિચ્છા મિ દુક્કડં’ આપે છે. સૌ પ્રથમ તે જણાવે છે કે, ‘મેં સૂર્યોદયથી માંડીને નવકારશી આદિના સમય સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો હતો અને સાથે સાથે એકાસણા આદિના
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy