________________
૨૨૪
સૂત્ર સંવેદના
શબ્દાર્થ :
(૭) ચઉવિહાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચખાણ કરે છે | હું પચ્ચક્ખાણ કરું છું. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગારીપૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
જે પચ્ચકખાણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ચોવિહાર ઉપવાસ કહેવાય છે અને જેમાં પાણી સિવાયના ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને તિવિહાર ઉપવાસ કહેવાય છે. બન્ને પ્રકારના ઉપવાસમાં ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. ભોજનની ઇચ્છા આહારસંજ્ઞાને કારણે થાય છે. ભાવપૂર્વક ઉપવાસનું પચ્ચખાણ કરવાથી સતત થતી આહારની ઇચ્છાને સાધક અટકાવી શકે છે અને આત્મભાવમાં સ્થિર થવા યત્ન કરી શકે છે. આથી જ “ઉપ' એટલે આત્માની નજીક અને ‘વાસ' એટલે વસવું. વાસ્તવમાં આત્માની નજીક વસવાની ક્રિયાને ઉપવાસ કહેવાય છે.
ઉપવાસની આ પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે માટે તેમાં અનાભોગાદિ પાંચ પ્રકારની છૂટ રાખવામાં આવે છે. એક ઉપવાસથી અધિક ઉપવાસનું સાથે પચ્ચખાણ કરવું હોય તો અલ્પત્તäના બદલે છઠ્ઠ-અલ્પત્તરું, અઠ્ઠમ-અલ્પત્તરું વગેરે શબ્દ વપરાય છે. આ પચ્ચક્ખાણ લેતાં સાધક વિચારે કે,
“આજનો દિવસ ઘન્ય છે. આહારની ખટપટ આજે મારી છૂટી છે. જેના કારણે મારું મન અને તન સ્વસ્થ છે, આ સ્વસ્થ મને આત્મસાધનામાં લીન બને તેવી શક્તિ પ્રભુ મને આપજે.”
21. શાસ્ત્રીય ભાષામાં ઉપવાસને ‘મમ્મરું કહેવાય છે. તેની સંસ્કૃતિ છાયા ‘મવાનું
થાય છે. તેથી જેમાં પ = ભોજન કરવાનું પ્રયોજન નથી તેને અલ્પત્તદૃ અથવા ઉપવાસ કહેવાય.