________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૨૧
વિગઈઓનો ત્યાગ કરવા માટે શાસ્ત્રમાં આયંબિલ તથા નવિના પચ્ચકખાણો દર્શાવ્યા છે. તેમાં -
(A) જે પચ્ચખાણમાં વિગઈ, વનસ્પતિ અને સ્વાદિષ્ટ મસાલાના સંપૂર્ણ ત્યાગપૂર્વક એક આસને બેસી એક જ ટંક આહાર લેવાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં “આયંબિલ' કહેવાય છે. (B) બીજું નિવિનું પચ્ચખાણ હોય છે. તે બે પ્રકારનું છે : ૧. જેમાં વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ હોય છે; પણ હળદર, મરચુ, જીરું,
અજમો વગેરે મસાલાની અને વલોણાની છાશની જેમાં છૂટ હોય છે, તેને લૂખ્ખી નીવિ કહેવાય છે. ૨. બીજા પ્રકારની નીલિમાં પકવ વિગઈઓ લઈ શકાય છે, એટલે નીવિયાતા
ઘી, દૂધ આદિ આ નીલિમાં ચાલે છે. ઉપધાન-જોગ આદિમાં આવી નીવિ કરાય છે. આ પચ્ચકખાણોનો મુખ્ય ઉદ્દેશ મનમાં વિકારો ઉત્પન્ન કરનારી વિગઈઓની આસક્તિને તોડવાનો છે અને તેમાં લેવાતો નિરસ આહાર તે ઉદ્દેશને સિદ્ધ કરી વિશેષ પ્રકારે રસના ઉપર નિયંત્રણ લાવે છે. આ પચ્ચખાણો લેતાં સાધક વિચારે કે,
“મારા તન-મનની વિકૃતિનું મૂળ કા વિગઈઓ છે આને પનારે પડી મેં આજ સુધી ઘણું ગુમાવ્યું છે. પ્રભુ ! તારા શાસનને પામી આજે આ વાત સમજાઈ છે અને તેથી જ સર્વ વિગઈઓના ત્યાગનું મેં આજે પચ્ચખાણ કર્યું છે. આ પચ્ચખાણા દ્વારા મારા તન-મનને નિર્વિકારી બનાવવા છે. તે ભગવેત ! એવું બળ આપજો કે હું આજીવન વિગઈઓનો ત્યાગ કરી સંપૂર્ણ નિર્વિકારી ભાવને પામી શકું.”