________________
પચ્ચક્માણનાં સૂત્રો
૨૧૭
છે. ત્રણ ઉકાળાથી ઉકળેલું શુદ્ધ જળ અચિત્ત હોય છે. તે સિવાય અન્ય રીતે પણ પાણી અચિત્ત થાય છે. તેથી અહીં તે સંબંધી નીચે પ્રમાણે ૬ આગારો છે.
૧૬. લેવેણ વાઃ જો કદાચ શુદ્ધ (પ્રાસુક-અચિત્ત) પાણી ન મળે તો ઓસામણનું, અથવા ખાદિમ કે સ્વાદિમનો અંશ કે રજકણો મિશ્રિત હોય તો, તેવું લેપકૃત પાણી લેવામાં પણ પચ્ચકખાણનો ભંગ થતો નથી. એ સૂચવવા આ આગારનો ઉલ્લેખ છે.
૧૭. અલેવેણ વા : શુદ્ધ અચિત્ત પાણી ન મળે ત્યારે કારણોસર સોવીર-કાંજી (છાશની આશ) વગેરે અલેપકત પાણી પીવાથી પણ પચ્ચકખાણનો ભંગ ન થાય તે માટે આ આગાર છે.
૧૮. અચ્છેણ વા કે ત્રણ ઉકાળાવાળું સર્વથા અચિત્ત પાણી પીવાથી પચ્ચખાણનો ભંગ થતો નથી. એમ જણાવવા આ આગાર છે.
૧૯. બહુલેવેણ વાઃ તલનું અથવા ભાતનું ધોવણ વગેરેને ગડુલજળ અથવા બહુલજળ કહેવાય છે. તે પીવાથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે કારણથી આ આગાર રાખવામાં આવે છે.
૨૦. સસિત્થણ વાઃ સિફથ એટલે ધાન્યનો દાણો, તેના વાળું ઓસામણ પીવાથી પચ્ચકખાણનો ભંગ ન ગણાય. તે ઉપરાંત તલાદિના ધોવણમાં પણ તેનો નહિ રંધાયેલો દાણો રહી જાય તો તેવું પાણી લેવામાં પણ પચ્ચખાણનો ભંગ થતો નથી..
૨૧. અસિત્થણ વા? : સસિત્ય જળને (દાણાવાળું ધોવણનું પાણી) જો ગાળવામાં આવે તો એને અસિત્વ જળ કહેવાય. આવું પાણી પીવાથી પણ પચ્ચખાણનો ભંગ ન થાય તે કારણથી આ આગાર રાખવામાં આવે છે.
સાધુ ભગવંતોને આધાકર્મી પાણીનો દોષ ન લાગે તે માટે પૂર્વમાં આ છે (૧૩-૨૧) આગારો રખાતા હતા; પરંતુ વર્તમાનમાં ત્રણ ઉકાળે ઉકાળેલું શુદ્ધ જળ જ પાણીમાં કહ્યું છે. આમ છતાં પચ્ચખાણનો પાઠ અખંડ રાખવા અત્યારે પણ આ આગારો રખાય છે. એકાસણ આદિનું પચ્ચખાણ કરતો સાધક વિચારે કે,
“વિરતિઘર્મનો કેવો પ્રભાવ છે ! હું જ્યાં નાનામાં નાની
17. દરેક આગાર પછી આવતો “વા' કાર છ આગારોમાં પ્રતિપક્ષી બબે આગારોની
સમાનતા દર્શાવે છે.