________________
૨૦૬
સૂત્ર સંવેદના-૬
ભૂખની આગને શમાવે તેને આહાર કહેવાય છે. શાસ્ત્રકારોએ તેના ચાર ભેદો
દર્શાવ્યા છે.
૧. અશન
-
ક્ષુધાનું શમન કરે તેવા ભાત, કઠોળ, રોટલા, રોટલી, પૂરી, શાક, દૂધ દહીં, ઘી આદિ પદાર્થો અશન કહેવાય છે.
૨. પાનક
કૂવા, તળાવ વગેરેના પાણી, છાશની આશ, જવ-ચોખા આદિનું ધોવન આદિ પીવા યોગ્ય પાણીને પાન કહેવાય છે.
૩. ખાદિમ - ભૂંજેલાં ધાન્યો, પૌંઆ, શેરડીનો રસ, કેરી, કેળા આદિ
ફળો, ચારોળી, બદામ, દ્રાક્ષ વગેરે સૂકો મેવો વગેરે કે જે ખાવાથી ભૂખ પૂર્ણ શાંત ન થાય તોપણ કાંઈક સંતોષ થાય તેવી વસ્તુઓ ખાદિમમાં ગણાય છે.
૪. સ્વાદિમ - સૂંઠ, મરી, જીરું, જાયફળ, જાવંત્રી, સોપારી, હિંગાષ્ટક જેવી સ્વાદ લેવા યોગ્ય વસ્તુઓને સ્વાદિમ કહેવાય છે.
अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिવત્તિયારેનં વોસિરફ / વોસિરામિ - અનાભોગથી, સહસાત્કારથી, મહત્તરાકારથી અને સર્વસમાધિનું કારણ આવી પડવાથી (કાંઈ ખવાઈ જાય કે ખાવું પડે તો તેની છૂટ રાખી ચારે પ્રકારના આહારનો) ત્યાગ કરે છે/હું ત્યાગ કરું છું.
સ્વીકારેલા પચ્ચક્ખાણનું અખંડ રીતે પાલન થઈ શકે, તે માટે શાસ્ત્રમાં પ્રતિજ્ઞા લેતાં પૂર્વે અમુક છૂટ રાખવાનું વિધાન કરેલ છે. જેને શાસ્ત્રીય ભાષામાં આગાર કહેવાય છે. ભાષ્ય આદિ ગ્રંથોમાં આવા કુલ ૨૨ આગારોનો ઉલ્લેખ છે. તેમાં નવકારશીના પચ્ચક્રૃખાણના બે આગાર તથા મુક્રિસહિઅં પચ્ચક્ખાણના તે બે 8. પ્રાણોને ઉપકાર કરે તે પાન અથવા પીયતે રૂતિ પાન જે પીવાય તે પાન
૭. ૨૨ આગારોના નામ નીચે પ્રમાણે છે. તે દરેકની સમજણ જે તે પચ્ચક્ખાણ સાથે છે. (૧) અન્નત્થણાભોગેણં, (૨) સહસાગારેણં, (૩) મહત્તરાગારેણં, (૪) સવ્વસમાહિવત્તિયાગારેણં, (૫) પચ્છન્નકાલેણં, (૬) દિસામોહેણં, (૭) સાહુવયણેણં, (૮) લેવાલેવેણં, (૯) ગિહત્થસંસટ્ટેણં, (૧૦) ઉક્તિત્તવિવેગેણં, (૧૧) પડુચ્ચમક્ખિએણં, (૧૨) પારિઢાવણિયાગારેણં, (૧૩) સાગારિયાગારેણં, (૧૪) આઉટણપસારેણં, (૧૫) ગુરુઅબ્દુઢ્ઢાણેણં, (૧૬) ચોલપટ્ટાગારેણં, (૧૭) લેવેણ વા, (૧૮) અલેવેણ વા, (૧૯) અચ્છેણ વા, (૨૦) બહુલેવેણ વા, (૨૧) સસિત્થેણ વા, (૨૨) અસિત્થેણ વા.